Abtak Media Google News

ચોટીલાના ભાજપ ઉમેદવાર જીણાભાઈ ડેરવાડિયાનું આજ રોજ ગાંધીનગર ખાતે મોત નીપજયું છે. અચાનક આવી ઘટના બની જતાં સમગ્ર રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. આ રહસ્યમય મોત પાછળ શું કારણ છે તે હજી જાણવા મળ્યું નથી. આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

આર્થિક લેવડ-દેવડના મામલે આત્મહત્યા કર્યાનું અનુમાન

તેઓ ચોટીલાના લાખચોકિયા ગામના રહેવાસી હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ ગાંધીનગર ખાતે રાજકીય કામકાજને લઈ અવર જવર વધુ કરતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીનગરમાં ચ્ંદ્રાલ ચોકડી નજીકની હોટલમાં તેઓ રહેતા હતા. કોઈ અધિકારી સાથે આર્થિક લેવડ-દેવડના મામલે આ પગલું ભર્યું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.