Abtak Media Google News

નડિયાદ ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ મહોત્‍સવ તથા પૂ. લક્ષ્‍મણદાસજી મહારાજના સાર્ધ સમાધિ મહોત્‍સવ નિમિતે મહંત શ્રી રામદાસજી મહારાજની નિશ્રામાં યોજાયેલ સુપ્રસિધ્‍ધ રામ કથાકાર પૂ.મોરારીબાપુની માનસ સેવા ધર્મ કથામાં હાજરી આપી હતી. સંતરામ મંદિરે જનસેવાની અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરી સમાજના છેવાડાના ગરીબ લોકોને ઉપયોગી બની જનસેવાનું અનેરૂં કાર્ય કર્યું છે. જેને શ્રી રામદાસ મહારાજ આગળ વધારી રહયા છે.

નડીયાદ ખાતે માનસ સેવા ધર્મ કથામાં પૂજ્ય મોરારીબાપુના આશિર્વાદ લીધા હતા. ગુજરાતનું સદભાગ્ય છે કે આ ભૂમિએ મહાત્મા ગાંધી, સરદાર સાહેબ જેવા રાષ્ટ્રપુરૂષ સાથે જ નર્મદ, નરસિંહ મહેતા, મોરારી બાપુ જેવી સંત શક્તિ પણ સમાજ-રાષ્ટ્રને આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.