- પ્રવિણના ચહેરા સ્મિત બનવા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની “પ્રવીણ” કામગીરી
ઘોઘા: રાજ્ય સરકાર દ્વારા બાળકના જન્મથી મળીને તે મોટું થાય ત્યાં સુધી અનેક કાર્યક્રમો દ્વારા તેના આરોગ્યની ચિંતા કરી કાળજી લેવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ છે ’રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’.. જે અંતર્ગત ઘોઘા તાલુકાના લાખણકા ગામમાં બાળકને જન્મજાત હૃદયરોગનું સફળતાપૂર્વક ઓપરેશન કરાવી બાળકના સ્મિતનું કારણ ’રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ બન્યો છે. વાત જાણે એમ છે કે, ઘોઘા તાલુકાના લાખણકા ગામના બાળક પ્રવીણ લાલજીભાઇ ધનજીભાઇ ચૌહાણને જન્મજાત હૃદયરોગ હોવાનું જન્મના થોડા દિવસ બાદ માલૂમ પડ્યું હતું. આ સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
પરંતુ સરકારના ’રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ તેની નિઃ શૂલ્ક સફળ સર્જરી થતાં તે ફરીથી સ્વસ્થ બન્યો છે. જેથી પ્રવિણના ચહેરા સ્મિત બનવા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા “પ્રવીણ” કામગીરી કરવામાં આવી છે. બહાર આ ઓપરેશન કરાવવાં જાય તો ઓછામાં ઓછો રૂા. ૨ થી ૩ લાખનો ખર્ચ થાય તેને બદલે આ ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી યુ.એન.મેહતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે નિઃશૂલ્ક કરી આપવામાં આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, ઘોઘા તાલુકાના લાખણકા ગામના બાળક પ્રવીણ લાલજીભાઇ ધનજીભાઇ ચૌહાણને જન્મજાત હૃદયરોગ હોવાનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમને ઘરે ઘરે તપાસમાં ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે જરૂરી રિપોર્ટ કરીને એનું ઓપરેશન કરવા અંગે જરૂર જણાઈ હતી. ત્યારબાદ સંદર્ભ સેવા અપાવવા માટે આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર દવારા વાંરવાર ઘર મુલાકાત દ્વારા સમજાવી ઓપેરેશન માટે યુ.એન.મેહતા હોસ્પીટલ મોકલાયા હતા.
યુ.એન.મેહતા હોસ્પીટલ ખાતે નિષ્ણાંત તબીબોને બતાંવતાં ઓપરેશન કરવાની સલાહ આપી હતી યોગ્ય માર્ગદર્શન આપતા આ ઓપરેશન બાદ પ્રવીણ અન્ય સામાન્ય બાળકની જેમ જ સ્વસ્થ થઇ ગયો હતો. આ અંગેની આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની જાણકારી જો છેવાડાના માનવી સુધી પહોંચે તો તેના મીઠા ફળ મળતા હોય છે. જે લોકોને આરોગ્ય સારવાર સુધીની પહોંચ નથી. ત્યાં સુધી આરોગ્ય સારવાર પહોંચે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણીકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા શાળા આરોગ્ય કાર્યક્રમના આર.બી.એસ.કે. ડો. યોગેન્દ્રસિંહ રાણા અને ડો. દિયા પટેલ અને ટીમ કામ કરી રહી છે.
અહેવાલ: આનંદસિંહ રાણા