Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિષ્ણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

ખાસ કરીને SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા દર્દીઓને આયુર્વેદની ઉત્તમ સારવાર આપવામાં આવે છે. પંચકર્મ પદ્ધત્તિથી મળતી સારવાર દર્દીઓને ખૂબ ફાયદાકાર નીવડે છે. ત્યારે SGVP હોલિસ્ટિક હોસ્પિટલને ઉત્તમ પ્રકારની સુવિધા, સ્વચ્છતા, વૈદ્યોની આવડત વગેરે અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને National accreditation board for hospital and health care providers – NABH નું સર્ટીફિકેટ પ્રાપ્ત થયું છે.આ સર્ટીફિકેટ પ્રાપ્ત થયા પછી દર્દીઓને NABI ના નિયમો પ્રમાણે અનેક ફાયદાઓ પ્રાપ્ત થાય છે તથા ઉત્તમ સુવિધાઓ સાથે સારવાર પણ પ્રાપ્ત થાય છે.હોસ્પિટલને આ સિદ્ધ પ્રાપ્ત થવાથી સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ હોસ્પિટલના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.