Abtak Media Google News

11મે એ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે અને આ દિવસને ‘ટેકનોલોજી ડે’ (National Technology Day) તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં 11 મેના દિવસને National Technology Day તરીકે ઉજવણીની શરૂઆત દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીએ કરી હતી. આ દિવસ સાથે એક ખૂબ જ વિશેષ ઇતિહાસ જોડાયેલો છે, જેમાં સમગ્ર વિશ્વમાં ભારતની તાકાત દર્શાવવામાં આવી છે અને કહ્યું છે કે, આપણે વૈજ્ઞાનના ક્ષેત્રમાં કેટલું પ્રગતિશીલ છીએ.તો ચાલો જાણીએ National Technology Dayના ઇતિહાસ અને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ વાતો વિશે…

National Technology Dayનો ઇતિહાસ

ભારતમાં દર વર્ષે 11મેના રોજ National Technology Day તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ 11 મે 1998ના રોજ શરૂ થયો હતો. 1998માં આ દિવસે, ભારતે રાજસ્થાનના પોખરણમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણમાં 5.3 રિક્ટરસ્કેલ પર ધરતીકંપના સ્પંદનો નોંધતા કુલ ત્રણ પરમાણુ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ સફળ પરમાણુ પરીક્ષણ બાદ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 11મેને દેશમાં National Technology Day તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

National Technology Day સંબંધિત કેટલીક ખાસ વાતો

11 મેના રોજ ઉજવવામાં આવતા National Technology Dayના દિવસે પ્રોદ્યોગિકી વિકાસ બોર્ડ તરફથી દર વર્ષે વૈજ્ઞાનિકોને તેમના યોગદાન માટે એવોર્ડ આપવામાં આવે છે. 11 મે 1988 ના રોજ DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગનાઈજેશન પણ સપાટીથી હવામાં વાર કરનારી શોર્ટ રેન્જ મિસાઈલ ત્રિશૂલનું પરીક્ષણ કર્યું હતું અને તેથી આ દિવસનું મહત્વ વધુ વધે છે. ભારતમાં National Technology Day વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રાલય દ્વારા દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય તકનીકી દિવસનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ માત્ર ભારતીયો માટે ગૌરવનો દિવસ નથી, પરંતુ વિશ્વમાં તેની તાકાત અને શક્તિ વિશે બતાવવાનો દિવસ પણ છે. આ દિવસ બતાવે છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ભારત પાછળ નથી અને આપણે આ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.