Abtak Media Google News

ભૂદેવો તા.9મી એ શરદ રાસોત્સવનો લાભ લેશે

ઉપલેટા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા માતાજીના નવલા નોરતાને વધાવવા આગામી તા. ર9 થી તા. ર સુધી ચાર દિવસ માટે નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા. 9મી શરદ રાસોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

શહેરના બડાબજરંગ રોડ ઉપર આવેલ જેઠીબેન અમૃતલાલ જોષી બ્રહ્મ સમાજ ભવજનમાં આગામી તા.ર9 ને ગુરુવારથી તા. ર ને રવિવાર સુધી ચાર દિવસ માટે સાંજે નવ વાગે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમજ તા. 9 ને રવિવારે સાંજે નવ વાગે શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તો સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારોને નવરાત્રી મહોત્સવમાં પધારવા પાછળના દરવાજેથી પ્રવેશ મળશે તેમજ દરરોજ રાસોત્સવ પૂર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા સ્થળ ઉપર કરવામાં આવશે. તો આ નવરાત્રી  ઉત્સવને વધાવવા સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારોને પધારવા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ, ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઇ વ્યાસ, મંત્રી સંજયભાઇ ભટ્ટ, ખજાનચી નટુભાઇ ત્રિવેદી અને સહખજાનચી મનિષભાઇ ત્રિવેદીએ પધારવા અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.