Abtak Media Google News

કેશોદ, જય વિરાણી

આજના મોંઘવારીના સમયમાં દરેક મધ્યમવર્ગીય પરિવારને થોડી આર્થિક મુશ્કેલી પડતી હોય છે. હવે આર્થિક સંકડામણ ની ઘટના કેશોદમાં બની છે જ્યાં મહિલાએ આર્થિક સંકડામણને કારણે મોતને વહાલુ કર્યૂ છે.

કેશોદમાં આંબાવાડી બગીચા પાછળ રણછોડનગરમાં પરિવાર સાથે રહેતાં દેવેન્દ્રભાઇ પ્રેમપરી પરી લનાં પત્ની ગત રાત્રે પોતાના ઘરે છત પરનાં પંખા લનાં હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ થયું છે. કેશોદ સરકારી દવાખાને લાવવામાં આવતાં ફરજ પરનાં મેડિકલ ઓફિસરે મૃત્યુ પામ્યાં હોવાનું જણાવ્યું હતું.

જલ્પાબેન દેવેન્દ્રભાઇ પ્રેમપરી પરી ઉ.વ.૩૮ ની દીકરીની સ્કુલ ફી ભરવાની હતી અને હાલ કોઈ કામધંધો ચાલતો ન હોવાથી આર્થીક સંકડામણના કારણે માતાને લાગી આવતા પોતે પોતાની મેળે પોતાના ઘરમાં છતના પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં મોત નિપજયું છે.અહી સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.યુ.દલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.કોરોના મહામારી વચ્ચે આર્થિક મંદી વચ્ચે કેશોદ શહેરમાં જીવન ટુકાવ્યા નો પ્રથમ બનાવ બનતાં કેશોદ શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.