Abtak Media Google News

માનવ ઉત્ક્રાંતિ અને ડીએનએ અંગેના ઊંડાણપૂર્વક ના સંશોધન નો નવો માર્ગ કરનાર સ્વાન તેને અપાયો વિશ્વનો સૌથી સન્માન જનક પુરસ્કાર

વિશ્વના વિજ્ઞાનીઓ અને ખાસ કરીને સંશોધકો અને માનવ સમાજ માનવજાત અને દુનિયાને કંઈક વિશિષ્ટ આપવા માટે પોતાની જાત ઘસી નાખનાર માનવીને ઉત્તમ પુરસ્કાર આપી નવાજવાની પરંપરા એટલે નોબલ એવોર્ડ સોમવારે આ વર્ષનું મેડિકલ નું નોબલ પુરસ્કાર સિડન્ટમાં જન્મેલા વિજ્ઞાનિક કે જેમણે દાયકાઓની મહેનત બાદ 40000 વર્ષ જુના હાડકા માંથી ડીએનએ અંગેની મહત્વની વિગતો વિશ્વ સમક્ષ મૂકી છે 2010 માં કરવામાં આવેલા આ સંશોધન અંગે અંતે પ્રભુને આ પુરસ્કાર પ્રાપ્ત થયું હતું જોકે પાબો ના પરિવાર માટે નોબલ પુરસ્કાર નવું નથી અગાઉ આ સન્માન પાબોના પિતા બર્ગસ્ટ્રોમને 1982માં મેડિસીનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો

માનવ જેનોમ અને ઈમ્યૂન સિસ્ટમ અંગે પાબોના સંશોધનોએ અસંખ્ય વિજ્ઞાનિકો માટે નવી દિશા ખોલી આપી છે નોબેલ સમિતિએ 2022ના વર્ષના નોબેલ એવોર્ડ્સની જાહેરાત મેડિસીનની કેટેગરીથી કરી હતી. સ્વીડનના સ્વાન્તે પાબોને મેડિસીનનો પુરસ્કાર અપાશે. માનવ જેનોમ અને ઈમ્યૂન સિસ્ટમ સહિતના તેમના સંશોધકોએ દુનિયાભરના એ ક્ષેત્રના સંશોધકો માટે નવી દિશા ખોલી હતી. તેમના સદ્ધર પ્રદાનને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર એનાયત કરાયો હતો.

સ્વીડિશ વિજ્ઞાની સ્વાન્તે પાબોને 2022નો મેડિસીનનો નોબેલ પારિતોષિક મળશે. તેમને હ્મુમન જેનોમ અંગે ખૂબ જ પાયાનું કામ કર્યું છે. માનવજાતિના લુપ્ત પુર્વજોનો તેમણે અભ્યાસ કર્યો હતો. માનવ વિકાસના જેનોમ ઉપરાંત ઈમ્યૂન સિસ્ટમ પર જેનોમની અસર અંગે તેમણે ખૂબ જ મહત્વનું સંશોધન કર્યું છે. લુપ્ત થયેલા હોમોનિનનો વારસો હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર થયો હતો. એ તેમણે વર્ષોના સંશોધન બાદ સાબિત કર્યું હતું. હોમો સેપિયન્સ આજની માનવજાતિના પૂર્વજો મનાય છે. હોમોનિન પછીથી કાળક્રમે વિલુપ્ત થઈ ગયા હતા. સ્વીડન ઉપરાંત જર્મનીમાં રહીને તેમણે સંશોધનો કર્યા હતા. જર્મનીની રીસર્ચ ઈન્સ્ટિટયૂટના તેઓ ડિરેક્ટર હતા.

સ્વીડિશ વિજ્ઞાની સ્વાન્તે પાબોનો જન્મ 20મી એપ્રિલ, 1955માં સ્ટોકહોમમાં થયા હતા. તેમના પિતા સૂને બર્ગસ્ટ્રોમ વિખ્યાત વિજ્ઞાાની હતા.

શું છે નોબલ પ્રાઈઝ?

વિશ્વમાં આરોગ્ય દવા ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભાષા સંસ્કૃતિ શાંતિ માટે પુરસ્કાર આપવાની આલ્ફ્રેડ નોબલ ની ઈચ્છાથી આ એવોર્ડની પરંપરા શરૂ થઈ છે. લગભગ નવલાખ ડોલર ના મૂલ્યનું આ ઇનામ સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્રના રૂપમાં આપવામાં આવે છે જોકે આર્થિક ક્ષેત્રે પ્રદાન કરનાર માટે નો નોબલે કોઈ પુરસ્કારની યોજના બનાવી ન હતી પરંતુ 1968માં સેન્ટ્રલ બેન્ક એ આર્થિક પુરસ્કારની પરંપરા શરૂ કરી

નોબલ માટે કોણ ઉમેદવારી કરી શકે?

નોબલ એવોર્ડ માટે સમગ્ર વિશ્વના હજારો લોકો ઉમેદવારી કરી શકે જેમાં યુનિવર્સિટીના પ્રોફેસરો ધારાશાસ્ત્રીઓ અને નોબલ કમિટીના સભ્યો પણ ઉમેદવારી કરી શકે નિર્ણાયકો પસંદગી પ્રાપ્ય વિજેતાઓ માટે ખૂબ જ ગુપ્તતા જાળવે છે

કોણ હતા આલ્ફ્રેડ નોબલ

આલ્ફ્રેડ નોબલ સિઝનના એક માલ એક હજાર ઉદ્યોગપતિ અને મોટા સંશોધક હતા તે 1896માં મૂર્તયુ પામ્યા તેમના મૂર્તયુના પાંચ વર્ષ બાદ 1901 માં પ્રથમ નોબલ એનાયત થયું હતું

નોબલ સાથે નોર્વે નું શું સંબંધ?

નોબલ શાંતિ પુરસ્કાર નોર્વે મા અપાય છે જ્યારે અન્ય પુરસ્કારો સિવીડનમાં દેવાય છે જોકે આ પરંપરા વિશે ક્યારેય નોબલે સ્પષ્ટતા કરી નથી અને આ પરંપરા અંગે કાયમ રહસ્ય રાખ્યું હતું

નોબલ પુરસ્કાર જીતવા સુધી કોણ લઈ જાય છે?

કોઈ વૈજ્ઞાનિકે કરેલું કામ પસંદ થવા માટે વર્ષો સુધીનું રાહ જોવી પડે એકમાત્ર શાંતિ પુરસ્કાર માટે જ બીજા વર્ષે ઇનામો આપવામાં આવે છે આલ્ફ્રેડ નોબલની ઈચ્છા હતી કે આ પુરસ્કાર એવી વ્યક્તિને મળે કે જે સમાજ માનવજાત અને તેના રાષ્ટ્ર માટે સમર્પિત હોય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.