Abtak Media Google News

વિશ્વની ફક્ત એક ટકા જ ગાડી હોવા છતાં માર્ગ અકસ્માતમાં થતાં કુલ મોતમાં ભારતનો 11%નો ફાળો

મોટરમાં પાછળની સીટ પર રહેલા યાત્રીઓ માટે સીટ બેલ્ટ લગાવવા અંગે સરકારે કડક વલણ અપનાવ્યું છે. એટલે કે હવે કારની આગળ બેઠેલી વ્યક્તિઓ ઉપરાંત પાછળ બેઠેલા યાત્રીઓએ પણ સીટ બેલ્ટ લગાવવાનું કડક પાલન કરાવવામાં આવશે, તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ માહિતી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયા બાદ મોદી સરકાર આ મોટો નિર્ણય કરવા જઈ રહી છે. કારમાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીઓ માટે ટૂંક સમયમાં સીટબેલ્ટ એલર્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી શકે છે.

સાયરસ મિસ્ત્રી પાછળની સીટ પર બેઠા હતા અને તેમને સીટ બેલ્ટ લગાવ્યો ન હતો. મિસ્ત્રી સાથે જે દુર્ઘટના સર્જાઈ તેને પગલે દેશમાં ધોરીમાર્ગોની દુર્દશા છતી થઈ છે. આ સાથે એ બાબત સાબિત થઈ છે કે પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ બેલ્ટ નહીં લગાવવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. ડ્રાઈવર અને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિ માટે સીટ બેલ્ટ લગાવવો વર્ષ 1993 થી ફરજિયાત છે. સરકારે ઓક્ટોબર 2002 માં પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓ માટે પણ સીટ બેલ્ટ લગાવવો ફરજિયાત કર્યો હતો. જોકે તેનું યોગ્ય રીતે પાલન થયું નથી. વર્ષ 2019માં સરકારે સીટ બેલ્ટ નહીં લગાવવાના સંજોગોમાં દંડની રકમ વધારીને રૂપિયા 1000 કરી હતી. પણ તેનાથી પણ કોઈ ખાસ અસર થઈ ન હતી.

વિશ્વ બેન્કના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધારે લોકો ભારતમાં મૃત્યું પામે છે. કોરોના મહામારી અગાઉ દેશમાં પ્રત્યેક ચાર મિનિટે એક ભીષણ અકસ્માત સર્જાય છે. ભારતમાં વિશ્વની ફક્ત એક ટકા જ ગાડી છે,પણ માર્ગ દુર્ઘટનામાં વિશ્વમાં થતા કુલ મૃત્યું પૈકી 11 ટકા ભારતમાં થાય છે. વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું રોડ નેટવર્ક ભારતમાં છે. અહીં 58.90 લાખ કિમી લાંબું રોડ નેટવર્ક છે. જોકે નબળા નિર્માણ અને ખરાબ મેન્ટેનન્સને લીધે મોટાભાગના માર્ગોની સ્થિતિ કંગાળ છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ની આંકડાકીય માહિતી પ્રમાણે ગયા વર્ષે દેશમાં માર્ગ અકસ્માતમાં વિક્રમજનક 1.55 લાખથી વધારે લોકોના મોત થયા હતા. દરરોજ 426 એટલે કે પ્રત્યેક કલાકે 18 લોકોનું માર્ગ દુર્ઘટનામાં મૃત્યું થાય છે. આંકડાકીય માહિતી પ્રમાણે દેશમાં સૌથી વધારે માર્ગ અકસ્માત નેશનલ હાઈવે પર સર્જાય છે. માર્ગોની દુર્દશા ઉપરાંત બેદરકારીભર્યું ડ્રાઈવિંગ પણ માર્ગ અકસ્માત માટે મુખ્ય કારણરૂપ છે. આંકડાકીય માહિતી પ્રમાણે દેશમાં માર્ગ દુર્ઘટના માટે સૌથી મોટું કારણ ઓવર સ્પીડિંગ છે. વર્ષ 2021 માં 59.7 ટકા અકસ્માત ઓવર-સ્પીડિંગને લીધે સર્જાઈ હતી. આ પૈકી 87,050 લોકોના મોત થયા અને 2.28 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા. ગયા વર્ષે દેશમાં 4.03 લાખ માર્ગ અકસ્માત થયા હતા, જેમાં 3.71 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ન હોય…વર્ષ 2002થી મોટરમાં બેઠેલા તમામે સીટ બેલ્ટ ફરજિયાત બાંધવાનો નિયમ અસ્તિત્ત્વમાં!!

સાયરસ મિસ્ત્રી પાછળની સીટ પર બેઠા હતા અને તેમને સીટ બેલ્ટ લગાવ્યો ન હતો. મિસ્ત્રી સાથે જે દુર્ઘટના સર્જાઈ તેને પગલે દેશમાં ધોરીમાર્ગોની દુર્દશા છતી થઈ છે. આ સાથે એ બાબત સાબિત થઈ છે કે પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ બેલ્ટ નહીં લગાવવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. ડ્રાઈવર અને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિ માટે સીટ બેલ્ટ લગાવવો વર્ષ 1993થી ફરજિયાત છે. સરકારે ઓક્ટોબર 2002માં પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓ માટે પણ સીટ બેલ્ટ લગાવવો ફરજિયાત કર્યો હતો. જોકે તેનું યોગ્ય રીતે પાલન થયું નથી.

દેશમાં પ્રત્યેક ચાર મિનિટે એક ભીષણ અકસ્માત સર્જાતા હોવાનો ઘટસ્ફોટ!!

વિશ્વ બેન્કના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધારે લોકો ભારતમાં મૃત્યું પામે છે. કોરોના મહામારી અગાઉ દેશમાં પ્રત્યેક ચાર મિનિટે એક ભીષણ અકસ્માત સર્જાય છે. ભારતમાં વિશ્વની ફક્ત એક ટકા જ ગાડી છે,પણ માર્ગ દુર્ઘટનામાં વિશ્વમાં થતા કુલ મૃત્યું પૈકી 11 ટકા ભારતમાં થાય છે. વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું રોડ નેટવર્ક ભારતમાં છે. અહીં 58.90 લાખ કિમી લાંબું રોડ નેટવર્ક છે. જોકે નબળા નિર્માણ અને ખરાબ મેન્ટેનન્સને લીધે મોટાભાગના માર્ગોની સ્થિતિ કંગાળ છે.

દર એક કલાકે માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થતા હોવાનો એનસીઆરબીના રિપોર્ટમાં ખુલાસો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો(એનસીઆરબી)ની આંકડાકીય માહિતી પ્રમાણે ગયા વર્ષે દેશમાં માર્ગ અકસ્માતમાં વિક્રમજનક 1.55 લાખથી વધારે લોકોના મોત થયા હતા. દરરોજ 426 એટલે કે પ્રત્યેક કલાકે 18 લોકોનું માર્ગ દુર્ઘટનામાં મૃત્યું થાય છે. આંકડાકીય માહિતી પ્રમાણે દેશમાં સૌથી વધારે માર્ગ અકસ્માત નેશનલ હાઈવે પર સર્જાય છે. માર્ગોની દુર્દશા ઉપરાંત બેદરકારીભર્યું ડ્રાઈવિંગ પણ માર્ગ અકસ્માત માટે મુખ્ય કારણરૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.