Abtak Media Google News

સરકાર આગામી 3 વર્ષમાં દેશની તમામ પંચાયતોમાં ડેરી શરૂ કરાવી દૂધની નિકાસ પણ કરાવશે

અબતક, નવી દિલ્હી :  હવે ગામે ગામે દૂધની ગંગા વ્હાવવા સરકાર સજ્જ બની છે. તેમ અમિત શાહે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે સરકાર આગામી 3 વર્ષમાં દેશની તમામ પંચાયતોમાં ડેરી શરૂ કરાવી દૂધની નિકાસ પણ કરાવશે.

આગામી ત્રણ વર્ષમાં ભારતમાં ગ્રામ્ય સ્તરે બે લાખ પ્રાથમિક ડેરીઓ સ્થાપવામાં આવશે, જે ખેડૂતોને શ્વેતક્રાંતિ સાથે જોડશે અને ભારતને દૂધ ક્ષેત્રે મુખ્ય નિકાસકાર બનાવશે.  કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે આ માહિતી આપી હતી.  શાહે અલગ સહકારી મંત્રાલય બનાવવા અને ભારતના ખેડૂતો માટે પ્રગતિનો માર્ગ મોકળો કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી. અમિત શાહે કહ્યું કે આઝાદી પછી તરત જ ભારતીય ખેડૂતોએ માંગ કરી હતી કે સહકારી મંત્રાલયને કૃષિ મંત્રાલયથી અલગ કરી દેવામાં આવે, જો કોઈએ તેના પર કામ કર્યું હોત, તો આજે ભારતની સ્થિતિ ખેડૂતો અલગ હોત.

કર્ણાટકના ગેજલગેરેમાં એક વિશાળ ડેરીનું ઉદ્ઘાટન કર્યા પછી એક સભાને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે આ મંચ પરથી હું દેશભરની સહકારી સાથે સંકળાયેલા તમામ લોકોને કહેવા માંગુ છું કે હવે તેમની સાથે કોઈ અન્યાય નહીં થાય, આ ભારત સરકારની નિર્ણય  શાહે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં દેશની દરેક પંચાયતમાં પ્રાથમિક ડેરી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે કેન્દ્રીય સહકાર મંત્રાલયે ત્રણ વર્ષનો કાર્ય યોજના તૈયાર કરી છે.

મંત્રીએ કહ્યું કે વર્ષ 1975 થી 2022 સુધીમાં કર્ણાટક ડેરી ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી છે.  તેમણે કહ્યું કે, 1975માં 66,000 કિલોલીટર દૂધનું પ્રોસેસિંગ થતું હતું અને હવે દરરોજ 82 લાખ કિલોલીટર દૂધનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે.  તેમણે કહ્યું કે દૂધ સંઘનું વાર્ષિક ટર્નઓવર 4 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 25 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.  તેમણે કહ્યું કે આજે ધંધાનો મોટો હિસ્સો ખેડૂતોના હાથમાં જઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.