Abtak Media Google News

સંગ્રહખોરી સહિતના પ્રશ્નો નિવારવા સરકારનો માસ્ટર પ્લાન

સિસ્ટમને પારદર્શક બનાવવા વેરહાઉસિંગ એક્ટમાં સુધારો લાવવાની સરકારની તૈયારી

કેન્દ્ર સરકાર વેરહાઉસિંગ એક્ટમાં સુધારો કરીને કૃષિ કોમોડિટીઝનો સંગ્રહ કરતી થર્ડ પાર્ટી માટે વેરહાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નોંધણી કરાવવી ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે.

આનાથી સંગ્રહખોરી સહિતની સમસ્યાઓ નીવડશે તેવી આશા સેવાઈ રહી છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે સૂચિત સુધારો વેરહાઉસિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે, જે ખેડૂતોને તેમની પેદાશોને ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં મદદ કરશે. આનાથી વેરહાઉસ ઓપરેટરો માટે ડિજિટલ નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ્સ જારી કરવાનું ફરજિયાત બનશે, જે સિસ્ટમને વધુ પારદર્શક બનાવશે.અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં 2,000 થી વધુ ગોડાઉન ડબ્લ્યુડીઆરએમાં નોંધાયેલા છે. સૂચિત સુધારો વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીને પણ મજબૂત કરશે, તેને અમલીકરણની સત્તા આપશે. ઓથોરિટીની રચના પણ ત્રણથી વધારીને છ કરવામાં આવશે.

જ્યારે સરકાર 5,000 મેટ્રિક ટન અને તેથી વધુની ક્ષમતાવાળા વેરહાઉસની નોંધણી સાથે પ્રારંભ કરશે, તે પછીથી 100 મેટ્રિક ટન સુધીની ક્ષમતા સુધીના તમામ ગોડાઉનને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવા માટે આગળ વધશે, આમ ફાર્મ ગેટ પર ઘણા બધા વેરહાઉસ તેના દાયરામાં મૂકશે.  અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બેન્કમાંથી લોન મેળવવી બનશે સરળ

બેંક જેવી ધિરાણ સંસ્થાઓ પાસેથી લોન લેવી પણ સરળ બનશે. કારણકે ખેડૂતો કે વેપારીઓ ગોડાઉનમાં રાખેલી તેમની કૃષિ પેદાશોના પ્રુફ તરીકે વેરહાઉસની રજીસ્ટ્રેશન રીસીપ્ટ બતાવશે એટલે બેંક લોન મેળવવામાં તેને સરળતા રહેશે.

બાકી લેણું વસુલવામાં પણ થશે સરળતા

જો કોઈ ખેડૂત કે વેપારી પાસેથી ધિરાણ સંસ્થાઓનું લેણું નીકળતું હશે તો તેના વેરહાઉસમાં રાખેલા માલના રજીસ્ટ્રેશનના આધારે તેની માલિકીમાં કેટલો માલનો જથ્થો છે તે જાણી શકાશે અને તેને જપ્ત કરીને કે અન્ય કોઈ પગલા લઈને લેણું વસુલ કરી શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.