Abtak Media Google News
  • વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું સમાપન
  • રૂ.200 કરોડના ખર્ચે વડનગર ખાતે તૈયાર થઈ રહેલાં એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમના નિર્માણથી  સ્થાનિક રોજગારીની તકો વધશે

ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર ખાતે આગામી વર્ષથી પ્રતિ વર્ષ ત્રિદિવસીય વડનગર ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારે મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022ના સમાપન સત્રમાં જાહેરાત કરતાં કહ્યું હતું.મુખ્ય સચિવ પંકજકુમારે વડનગરના નગરજનો તેમજ દેશ-વિદેશથી ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થયેલા મહાનુભાવોને આવકારતાં કહ્યું હતું કે, 2500 વર્ષ જૂના વડનગરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધ વારસાને દેશ-દુનિયા સમક્ષ રજૂ કરવા વડનગર ઉત્સવની ઉજવણી કરાશે.

Whatsapp Image 2022 05 21 At 2.17.00 Pm

જેમાં વડનગર ખાતે એક દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તેમજ બે દિવસનો આંતરરાષ્ટ્રીય તાનારીરી સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વડનગરના વિવિધ સાંસ્કૃતિક બૌદ્ધ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતું રૂ. 200 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. જેના પરિણામે વડનગરનો ચતુર્મુખી વિકાસ થશે અને દેશનું મહત્વનું ઐતિહાસિક સ્થળ બનશે.

વિશ્વભરના દેશો સહિત અન્ય રાજ્યોના પુરાત્વવિદો અને પ્રવાસીઓ પણ વડનગરની મુલાકાતે આવશે જેના પરિણામે સ્થાનિકકક્ષાએ રોજગારીની વ્યાપક તકોનું નિર્માણ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.  વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સના સમાપન સમારોહમાં રાજ્યના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કોન્ફરન્સ વડનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાની સાથેસાથે સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની પૂરવાર થશે.

તેમણે ઉમેર્યું કે, આ ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખી અને રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી, યુનેસ્કોના પ્રતિનિધિ સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો. આ  ત્રણ દિવસ દરમિયાન છ અલગ અલગ સત્રો યોજાયા હતા. જેમાં વડનગરના પુરાતત્વ અવશેષો, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સામાજિક, ધાર્મિક માન્યતાઓ અને વિશ્વભરમાં અલગ અલગ સ્થળોએ થતા પુરાતત્વીય સંશોધનો સંદર્ભે વિશદ ચર્ચાઓ હાથ ધરાઈ હતી.

જેમાં વડનગરના નગરજનો પણ જોડાયા હતા. આજે સમાપન બાદ તમામ મહાનુભાવોને વડનગર સાઈટની મુલાકાત પણ કરાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ કોન્ફરન્સ દરમ્યાન ગુજરાત સરકાર અને ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે એમ.ઓ.યુ પણ થયા છે. જેમાં ગુજરાત સહિત વડનગરની સંસ્કૃતિ બૌદ્ધ વારસો, પુરાતત્વીય અવશેષો પર સંશોધનો માટે ભાર મુકાશે.

આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટર જનરલ શ્રી વી. વિદ્યાવતીએ કોન્ફરન્સના આયોજનને આવકારતા કહ્યું કે વડનગરના પુરાતત્વીય વારસાને જાળવીને તેના સંશોધનો થકી વૈશ્વિકસ્તરે નામના મેળવી ત્રિદિવસીય કોન્ફરન્સમાં થયેલું ચિંતન-મનન દેશભરમાં પુરાતત્વીય ક્ષેત્રે થતાં સંશોધનો માટે મહત્વના પૂરવાર થશે.આ કાર્યક્રમમાં સાત યુનિવર્સિટી સાથે ખઘઞ કરવામાં આવ્યા હતા.

જેમાં એમ.એસ. યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર, અનંત નેશનલ યુનિવર્સિટી, ડેક્કન યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથે પુરાતત્વ-સંશોધન અને ખોદકામ, સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ, હેરિટેજ સંરક્ષણ, આર્કિટેક્ટ દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ, વર્કશોપ, સિમ્પોઝિયમ અને કોન્ફરન્સ, પ્રવાસન વ્યવસ્થાપન-વિકાસ અને સંગ્રહાલયો સંબંધિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંદર્ભે ગુજરાત સરકાર સાથે ખઘઞ કરવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.