Abtak Media Google News

ગુજરાતમાં એનએસયુઆઈ  દ્વારા બેરોજગાર દિવસની ઉજવણી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે કિશાનપરા ચોક ખાતે એનએસયુઆઈ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને હાય રે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શિત કરતા એનએસયુઆઈના  કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાય કરી હતી.

Dsc 2443

કોઈ પણ પ્રકારની જોબમાં સિક્યોરિટી કે પેન્શન યોજના જોવા મળતી નથી. અત્યારે કોન્ટ્રેક્ટ બેઝ અગ્નિવીર યોજના લાવવામાં આવી આગળ જતા પોલીસવીર, બેન્કર વીર, શિક્ષક વીર, પ્રોફેસર વીર જેવી અનેક યોજના લાવવાની શક્યતા રહેલી છે. દેશના યુવાનોને મન કી બાત નહીં રોજગારીની જરૂર છે. જેના સંદર્ભમાં આજે દેશની વધતી બેરોજગારીને લઇ આજે બેરોજગાર દિવસ એનએસયુઆઈ દ્વારા ઉજવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.