રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. રૈયા ચોકડી ઓવરબ્રિજનું ટુંક સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને આજ તા.૧૮/૦૨/૨૦૧૯ના રોજ સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, વોર્ડ મંત્રી કાનાભાઈ સતવારા, અગ્રણી જયદીપસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આ બ્રિજમાં લાઈટીંગ, પેવર કામ, પેવિંગ બ્લોક, ડામરકામ ઝડપથી રાત દિવસ કામ ચલાવી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સુચના આપેલ હતી
Trending
- રાજકોટના ડો.મલય પારેખે સ્કોટલેન્ડ ખાતે ESDમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
- એક ઉમેદવારનું બે બેઠક ઉપર લડવાનું વલણ મતદારો સાથે અન્યાય… !!
- બ્રહ્મરત્ન અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે યોજાશે ‘પરશુરામ એવોર્ડ સમારોહ’
- અચાનકથી પૃથ્વી પર એક પણ ટીપું આલ્કોહોલ ન રેય તો શું થાય?
- અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા મૃતદેહને સ્પેરપાર્ટ્સ સમજી અન્યને સોંપી દેતા વિવાદ
- LG અને TCL જેવી મોટી બ્રાન્ડ ના 55 ઇંચના TV હવે થયા સસ્તા…
- ઉનાળામાં સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક માટે આ પાંચ આઉટફિટ સ્ટાઇલ ટ્રાય કરો.
- ભણીને માણસ રોજગારી મેળવે પરંતુ હવે ભણીને ભિખારી થવાનો વારો આવી શકે છે!! : ILO Report