Abtak Media Google News

માહિતી અનુસાર આગામી 10 એપ્રિલે પીએમ મોદી જૂનાગઢમાં સભાને સંબોધન કરશે. આ સાથે જ 10 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે પ્રિયંકા ગાંધી પણ સોમનાથમાં મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરે તેવી શક્યતા છે.

ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે અને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આગામી 10 એપ્રિલે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેઓ જૂનાગઢમાં લોકો સાથં સંવાદ કરશે અને જાહેરસભાને સંબોધન કરશે.

જેને લઈને જૂનાગઢમાં તડામાર તૈયારી શરૂ કરૂ દેવામાં આવી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી પણ સોમનાથમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. જો કે બંને પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.