Abtak Media Google News
  • સરકારી શાળા 13મીથી ખુલ્લી રહે છે ત્યારે ધો.1ના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવવો જ જોઇએ: જ્ઞાન સત્રના પ્રારંભે બે-ત્રણ દિવસનો માહોલ જ બાળકોને જીવનમૂલ્ય શિક્ષણ આપે છે
  • નવા શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ અને શાળા પ્રવેશનો પ્રથમ દિવસ જીવનભર યાદ રહે છે: પ્રાથમિક શાળાના મિત્રો જીવન મિત્રો બનતા હોય છે

જૂના જમાનાની કે આજની વાત બાળક શાળા પ્રવેશના પ્રથમ દિવસે રડતું જ આવતું હોય છે, આ સમસ્યાથી બચવા તેને બાલમંદિરમાં પ્રવેશ હેવાયો કરીને મા-બાપ તેને એ વાતાવરણ પુરૂ પાડે છે પણ તોય બાળક નવી શિક્ષણના પગથીયા ચડતા મમ્મી-પપ્પા કે પરિવારના સભ્યો સાથે રડતો જ આવતો જોવા મળે છે. આ પાછળ ઘણા કારણો હોય શકે પણ એક વાત નક્કી છે કે બાળક શાળામાં જો ‘હસતું’ આવે તો એ શાળા શ્રેષ્ઠ ગણી શકાય. બાળક તેના પરિવારના માહોલમાંથી અજાણ્યા માહોલમાં એકલું પાંચ કલાક પ્રથમવાર આવે ત્યારે સ્વભાવિક રોવા જ લાગે એ હકિકત છે પણ શિક્ષક અને શાળા સંકુલ જો એવું વાતાવરણ નિર્માણ કરે તો જ બાળકને આવવું ગમે અને બેસવું કે રમવું ગમે છે.

Content Image 60D2Ff39 C465 4372 9883 6Fb9Acac6072

નવા શૈક્ષણિક સત્રનો ઘણી પ્રાથમિક શાળા કે બાલ મંદિરો આજથી ખુલ્લી ગયા ત્યારે બાળકોનું સ્વાગત સાથે મોઢું મીઠું કરીને આવકાર્યા હતા. જો કે સરકારી શાળા આવતી 13 જૂનથી ખુલ્લી રહી છે. છેલ્લા દોઢ દાયકાથી ધો.1માં પ્રવેશ પામેલા બાળકોને વાજતે-ગાજતે ઢોલ નગારા, શરણાઇના સુરે આંગળી પકડીને શાળા પ્રવેશ કરાય છે, કુમકુમ તીલક કરીને બાળકોના પૂજન સાથે તેને જ્ઞાન દિક્ષાનો આરંભ કરાવાય છે. જે ખૂબ જ સારી બાબત છે અને તેના સારા પરિણામો પણ મળ્યા છે.

ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હોય તેનું મહત્વ વધારે છે તો શિયાળું વેકેશન દિવાળીના તહેવારો બાદ ખુલતું હોવાથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હોવાથી તેનું પણ મહત્વ છે. કોઇપણ માનવીના જીવનમાં શાળાનો પ્રથમ દિવસ જીવનભર યાદ રહેતો હોય છે. પ્રથમ દિવસના મળેલા અનુભવોના આધારે નાનકડું બાળક ઘણું શીખતો હોય છે. શાળા જીવન તેના જીવનમાં અતી મહત્વનું એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથું, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણા જીવન મૂલ્યોનું શિક્ષણ તેને મળતા હોય છે.

Gujarat 01

જ્ઞાન સત્રનાં આરંભના ત્રણ ચાર દિવસના અનુભવોથી બાળકના રૂટીંગ જીવનમાં બદલાવ જોવા મળતો હોય છે. તેના જેવડા નાનકડા બાળકો મિત્ર બનતા નવા આવેલા છાત્રને સધિયારો મળતા તે થોડી રાહત અનુભવે છે. આ સમયે શાળાનું વાતાવરણ, આચાર્ય, શિક્ષકોની ભૂમિકા અતિ મહત્વની હોય છે. બાળકને પડતી મુશ્કેલીમાં ત્વરીત માર્ગદર્શન મળતાં તેના માનસપટ પર વિશિષ્ટ છાપ ઉપસે છે. નાના ધોરણમાં મહિલા ટીચરો જ હોવા જોઇએ તેમ બાલ મનોવિજ્ઞાન કહે છે કારણ કે નાનકડા બાળકની વ્યથા એક સ્ત્રી જ સમજી શકે છે. નાના બાળકને મમ્મી છુટું પડવું ગમતું ન હોવાને તે રડવા લાગે છે, આ વાત એક નાના બાળકે જ આ લેખ લખનાર ને જણાવી છે ત્યારે શાળાના શિક્ષકો જ તેના મા-બાપ જેટલો પ્રેમ આપવા લાગે તો એ ક્યારેય રડે નહીં.

મારા, તમારા કે સૌના જીવનમાં પ્રાથમિક કે હાઇસ્કુલના સ્કુલ મિત્રો જીવનભર યાદ આવતાં હોય છે. શાળા જીવનનાં 10 કે 12 વર્ષ જીવનભરનું અમૂલ્ય સંભારણું છે તેથી તે ઘણા વર્ષે મળે ત્યારે આપણને સ્વર્ગ મળ્યાનો આનંદ આવતો હોય છે અને કલાકો સુધી એ જુના સંસ્મરણો વાળોગતા હોય છે. નાનકડું બાળક શિક્ષકની વાત મા-બાપ કરતા વધારે માને છે તે કહે તે જ ગણિતની રીત સાચી, મમ્મી-પપ્પા કહે તે ખોટું જ ગણે છે. શાળાની દરેક વાતો, બાળ ગીતો, મિત્રની વાત, મેડમની સાડી કે ડ્રેસની વાત સાથે શાળાની સારી-નરસી વાત પરિવારને કહે છે. મા-બાપે પણ માસમાં એક-બે વાર ટીચરની મુલાકાત લઇને પ્રોગ્રેસ રીપોર્ટ જાણવો જરૂરી છે જો કે આજે વાલી મિટીંગ થતી જ હોય છે તો પણ વ્યક્તિ રિપોર્ટ જાણવો જરૂરી છે.

દરેક મા-બાપે પણ નવા પ્રવેશ પ્રારંભે એક માસ તેને પ્રેમ, હૂંફ અને લાગણી આપવી જ જોઇએ જેના કારણે તેની વ્યથા કે મુશ્કેલી રજૂ કરી શકે છે. નાનકડું બાળક ઘરની રહેણી-કરણી, ભૌગોલીક વાતાવરણમાંથી ઘણું શીખીને શાળાએ આવતો હોય ત્યારે શિક્ષકે તેના પ્રારંભના દિવસે તેની ક્ષમતા, રસ, રૂચિ, વલણોનો અભ્યાસ કરીને તેનામાં પડેલી છૂપી કલાને પ્રોત્સાહન આપવું જોઇએ. આજકાલ તો પ્રોગ્રોસ રિપોર્ટ કાર્ડ ભરાય છે. જે વર્ષ પૂર્ણ થયે ઉપલા ધોરણના તેના નવા ટીચરને અપાતા બાળક વિશે તમામ માહિતી મળી જતી હોય છે.

Blog 130613 Attach

શાળાનો પ્રથમ દિવસ બાળક માટે રૂટીંગ પ્રક્રિયામાંથી બહાર નીકળીને નવા માહોલમાં તણાવપૂર્ણ જોવા મળે છે તેના કારણોમાં નવી જગ્યાને નવો માહોલ એમાં પણ પરિવારની સભ્યોની ગેરહાજરીથી બાળક મુંઝાય છે. કદાચ તેથી જ બાળક રડવા લાગે છે. જેમ-જેમ તેને રસ પડવા લાગે છે તેમ-તેમ તે પોતાનું દફ્તર, પુસ્તકો વિગેરે પ્રત્યે જાગૃત થતો જાય છે. એક સમય બાદ તે શિક્ષણની રૂટીંગ પ્રક્રિયામાં ગોઠવાઇ જતાં બધુ નોરમલ થઇ જાય છે પણ શાળા સંકુલ અને શિક્ષકા તથા મા-બાપે આ સમય ગાળામાં તેનું જતન કરવું જરૂરી નહી પણ ફરજીયાત કાર્ય મારી દ્રષ્ટિએ હોય શકે છે. તમારૂ બાળક શિક્ષકને સોંપો ત્યારે વર્ગખંડમાં પણ શિક્ષકે તેની સાથે નરમાશ ભર્યું વલણ દાખવવું જરૂરી છે.

આપણું જીવન નવીન ઘટનાઓથી ભરેલું છે. જેનો આપણે જુદો-જુદો અનુભવ કરીએ છીએ ત્યારે શાળાનો પ્રથમ દિવસ જીવનનો સૌથી અગત્યનો પાર્ટ છે. સારા અનુભવો થાય તો તેના વિકાસમાં એ રીતે અને જો ખરાબ અનુભવ તેના માનસપટ પર કોતરાય જાય તો ઘણી મુશ્કેલી પડતી જોવા મળે છે. આ સમસ્યા નિવારણ માટે દરેક શાળામાં કાઉન્સિલરની વ્યવસ્થા હોવી જરૂરી છે. પ્રથમ દિવસ એટલે આનંદ, ઉત્સાહ અને ઉમંગનો દિવસને જ્ઞાન સાથે ગમ્મતનો દિવસ હોય છે.

693567 Shelaschool 061518

નાના બાળકો માટે આનંદમય શિક્ષણ જ તેના સંર્વાગી વિકાસ માટે શ્રેષ્ઠ છે, અહીં તેને ભણાવવાની ઉતાવળ શિક્ષકે ક્યારેય ન કરવી કારણે જો તે સેટ નહીં હોય તો તેને રસ નહી પડે જેથી તે અન્ય બાળક કરતાં મોડું શીખશે. તેથી અહીં શિક્ષકની તમામ પ્રકારે કસોટી થતી હોય છે.

નાના બાળકનો શાળા જીવનનો પ્રથમ દિવસ તેનું વાતાવરણ બદલે છે !!      

ગમે તેના જીવનમાં શાળાનો પ્રથમ દિવસનો અનુભવ તેના સમગ્ર વાતાવરણને બદલી નાંખતો હોય છે. ઘરની સલામતી સભર વાતાવરણમાંથી બહાર આવીને નવા માહોલમાં પ્રથમ દિવસે તેને ઘણું શીખવા મળ્યું હોવાથી તેના મગજના વિકાસ સાથે મૌખિક અભિવ્યક્તિ ખીલ્લી ઉઠતી હોય છે. શિક્ષકના કે આચાર્યના શબ્દો, બાળ ગીતો, વિવિધ રમતો કે સ્માર્ટ રૂમમાં તેને કરેલા કાર્યો જ તેને જાતે સ્વ-અધ્યયન કરવા પ્રેરે છે.

411Dscn0003

શાળાનું શ્રેષ્ઠ વાતાવરણ જ બાળકને જાતે ભણતો કરે છે. શાળાના રમકડાં, રંગબેરંગી દિવાલો, રડતા કે હસતાં બાળકોના અવાજો વચ્ચે ટબુકડું બાળક પોતાની જાત સાથે સેટ થતાં થતાં જીવનનાં ઘણા પાઠો પોતે જાતે શિખવા લાગે છે. કેટલાક બાળકો પ્રથમ દિવસે ભરપૂર આનંદ મેળવે છે તો કેટલાક શરમાળ વૃત્તિને કારણે અસ્વસ્થતા અનુભવે છે. અજાણ્યા અનુભવો અને વિવિધ મળતી તકોને કારણે બાળક તેની દિનચર્યામાં ફેરફાર કરીને પણ તેમાં જોડાવવાનો પ્રયત્ન કરે છે.

પ્રથમ એક મહિનો શાળા તત્પરતા બાળકમાં જાગૃત કરવા વિવિધ પ્રવૃત્તિ કરાવવાથી તેના રસ, રૂચિને વલણોમાં બદલાવ જોવા મળે છે. દરેકના જીવનમાં બાલમંદિર સાથે ધો.1 થી 5ને ધો.6 થી 8નાં પ્રાથમિક શિક્ષણનું મહત્વ હોય છે જેના પાયાની ઇમારત ઉપર જ તે તેના શિક્ષણના પગથીયા ચડતો હોવાથી પ્રારંભથી જ તેને યોગ્ય વાતાવરણ પુરૂ પાડીને તેનો વિકાસ કરવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.