Abtak Media Google News

હિતેશ રાવલ,સાબરકાંઠા: ઇડર ગઢ કે જે તેની રમણીયતા માટે એટલોજ મહત્વનો છે. ત્યાં આવેલો કલાત્મક સ્થાપત્યો,પૌરાણિક મંદિરો, ગુફાઓ, પર્વતોની હાળમાળા માટે જાણીતું છે.આજે આજ ઇડર ગઢ પર આવેલા ઉત્તરમુખી હનુમાનજીના દર્શન કરીને તમે ધન્યતા અનુભવશો.

કહેવાય છે કે ઇડર ગઢ જેમ ગઢ જીત્યાની અજયની વાતો ગવાતી તેમ આ રજવાડા વખતનું આવેલું આ પૌરાણિક ઉત્તરમુખી હનુમાનજી પણ એટલુંજ મહત્વનું છે. અહીંયા અતિપૌરણિક એવી કે જે રાજા રજવાડા વખતની આ મૂર્તિની સ્થપના કરેલી છે તેવું મનાય છે. આ ઉત્તરમુખીની મૂર્તિ ઇડર ગઢ પર 2500 વર્ષ જૂની કે, રજવાડા વખતે ઇડર સ્ટેટ ઘણાતું હતું. આ ઇડર ગઢ પર રાજ કરતા રાજા માનસિંહ રાઠોડ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિ બાદ બ્રાહ્મણો દ્વારા હવે તેની પૂજા પાઠ કરવામાં આવે છે. આવી આ અલોકીક મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

ઇડર ગઢ પર રજવાડા વખતનું આ મુર્તિ સવા સાત ફૂટ ઉભી કે, જે સિંદૂર વર્ણિતની સ્થાપના કરેલી છે અને તેના સિંદૂરવસાથે વાઘા કરવામાં આવે છે. આ ઉત્તરમુખીના દર્શન કરવા શનિવાર કે, મંગળવાર દર્શન કરવા આવનારની મનોકામના પૂર્ણ કરતા હોય છે. ઉત્તરમુખીના દર્શન કરવાએ આપણું અહોભાગ્ય કહેવાય કે, ભારતમા ક્યાંકજ જોવા મળતા આ દર્શન કરવા માટે શનિવાર કે મંગળવાર નું ખૂબ મહત્વનું છે. આ જગ્યાએ દેશ માટે લડનારા જવાનો માટે પણ એટલાજ મહત્વના છે. 5, 11, 21 શનિવાર ભરવાના આ જગ્યાનું મહત્વ છે. આ હનુમાનજી દાદાનું સવાર ખુશ મિજાજ બપોર રોદ્ર, સાંજ અને રાત્રી પ્રૌઢ અવસ્થામાં રૂપ બદલાતું તમે જોઈ શકો છો એવા આ ચમત્કારિક દાદાના દર્શને લોકો આવતા હોય છે.

આ જગ્યાએ ઇડરના નાગરિકો હજારોની સનખ્યામાં આવતા અને તેમજ બહારના દર્શનાર્થીઓ માટે પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લોકો આવતા હોય છે. દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે આંકડાની માળા ચડાવતા હોય છે. ઉત્તરમુખે હનુમાનજી કેમ છે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે, એનું મુખ્ય કારણ એ કે જ્યારે રામજી ભગવાન હનુમાન દાદાને કાર્ય સીતામાતાની શોધ માટે સોંપેલ ત્યારેએ પોતે માતાનો શોધ કરી લંકાનું દહન કરીને જ્યારે પરત ફરતા જેથી તેઓ ઉત્તર તરફ પ્રયાણ કરતી સમયે આ દાદા ખુશ મિજાજમાં હતા કે જે જે કાર્ય પૂર્ણ તરીકે સિદ્ધ હનુમાનજી તરીકે પણ ઓળખાય છે.

આ જગ્યાની બાજુમાં વ્રજરેશ્વરી માતાજીનું સ્થાનક છે કે જયાં અહીંયા જ્યારે ઇડર ના રહેતા જ્યારે લગ્ન બાદ મીંઢળ છોડવા માટે આ માતાજી આગળ છોડવું પડે છે અને સાથે નવયુગલ આ હનુમાનજી ના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.