Abtak Media Google News

કડીયાકામેથી પરત આવતી વેળાએ કોયલી ગામના યુવાનના મોતથી ચાર સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું

ગઈકાલે ટંકારા તાલુકાના ધૂંનડા ગામેથી કડીયા કામ કરીને ઘરે જઈ રહેલા શ્રમિકોના બાઇક સાથે સામેથી આવતું બાઇક અથડાતા કોયલીના યુવાનનું મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ધૂંનડા ગામે કડીયા કામ કરીને ત્રિપલ સવારી બાઇકમાં પરત આવી રહયા હતા ત્યારે અજાણ્યા બાઇક સાથે અકસ્માત થતા જોડિયા તાલુકાના કોયલી ગામના નારણભાઇ ભૂરાભાઈ ઉ.૪૦ ને ગંભીર ઇજા પહોંચતા પહેલા ટંકારા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન નારાણભાઈનું મૃત્યુ નિપજ્યુ હતું, નારણભાઈનું મૃત્યુ થતા તેમના પરિવારનો આધારસ્તંભ છીનવાયો છે અને એક પુત્ર તથા ત્રણ પુત્રીઓએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.