Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી શરૂ
Gujarat News

માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી શરૂ

By ABTAK MEDIA09/03/20233 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

નાફેડે મહુવા, ગોંડલ અને પોરબંદરમાં ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ રાજકોટના ખેડૂતોને પણ લાભ આપવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદીનો પ્રારંભ કર્યો

ડુંગળીના રૂ. 7.92 પ્રતિ કિલોના ભાવે ખરીદી : વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા નાફેડની અપીલ

નાફેડ દ્વારા ગુજરાતમાં આજથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરી છે. નાફેડે મહુવા, ગોંડલ અને પોરબંદરમાં ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ રાજકોટના ખેડૂતોને પણ લાભ આપવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદીનો પ્રારંભ કર્યો છે. હાલ ડુંગળીના રૂ. 7.92 પ્રતિ કિલોના ભાવે ખરીદી ચાલુ છે. વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા નાફેડે અપીલ કરી છે.

આનાથી ખાસ કરીને સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડુતોને તેનો વિશેષ લાભ થશે. કૃષિમંત્રીએ રાજ્યના ખેડુતોને વધુ રાહત અપાવવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે કરેલ પરામર્શને સફળતા મળી છે.

કૃષિમંત્રી  રાધવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરીને ડુંગળી પકવતા ખેડૂતોને રૂ.70 કરોડની સહાય આપવાની  જાહેરાત કરી છે.

ALSO READ  વિશ્વ પ્રસિધ્ધ બ્ર.કુ. શિવાની દીદીને વધાવવા તડામાર તૈયારીઓ

રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ કૃષિ મંત્રીને ડુંગળી પકવતા ખેડુતોની ચિંતા સતાવતી હતી. જેનો ઉકેલ સાધવા ડુંગળીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા પણ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંકલનમાં રહીને કૃષિ મંત્રીશ્રીએ ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ સાથે પરામર્શ કર્યો હતો. જેના પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લઈને આજથી  નાફ્રેડ દ્વારા ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પિયુશ ગોયલનો રાજયના ખેડૂતો વતી આભાર માનતા કૃષિ મંત્રી રાધવજી પટેલે ઉમેર્યું કે, ભારત સરકારના નિર્દેશ પર નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ) ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. તેમજ ડુંગળી ઉત્પાદક ખેડુતોને પોષણક્ષમ ભાવ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને તેનો વિશેષ લાભ થશે.

ALSO READ  રાજકોટ : શેરબજારમાં રોકાણ કરાવી પિતરાઈ ભાઈઓએ સાત વેપારી સાથે રૂ.69.50 લાખની છેતરપિંડી કરી

કૃષિ મંત્રીની રજૂઆતને પગલે રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ વિભાગએ નાફેડ દ્વારા  ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરેલ છે. નાફેડ દ્વારા ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં આજથી ડુંગળીની ખરીદી શરૂ કરાઈ છે. મંત્રીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા ખરીદી કરવાના લીધે ખેડૂતોને રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી તાત્કાલિક રાહત અને સારા ભાવનો લાભ મળશે. આ કેન્દ્રો ઉપર ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે. આ બાબતે ભારત સરકાર સાથે સંકલન સાધવામાં રાજ્યના ખેડુતોના હિતમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી દ્વારા મહત્વપૂર્ણ ભુમિકા ભજવવામાં આવી હોવાનું જણાવી કૃષિ મંત્રીએ તેમની સરાહના કરી છે.

featured gujarat MarketYard onion rajkot SaurashtraNews
Share. Facebook Twitter WhatsApp
Previous ArticleIAS અધિકારી પર હિંચકારો હુમલો સાથે જ કલાકો સુધી બનાવાયા બંધક !!
Next Article અખબારોના RNIની તપાસ કરી રિપોર્ટ સોંપવા કેન્દ્રનો કલેક્ટરોને આદેશ
ABTAK MEDIA
  • Website

Related Posts

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.