Abtak Media Google News

રાજુલામાં બે-ત્રણ મહિનાી પોસ્ટ ઓફિસની અંદર સ્ટાફના અભાવે લોકોના રોજીંદા કામકાજ જેવા કે નાની બચત, રીકરીંગ, રજી.એડી.એફ.ડી સહિત એજન્ટોના પણ કામકાજ થતા નથી. અહીંથી જુના સ્ટાફની બદલીઓ થાય છે પરંતુ સામે નવા સ્ટાફની નિમણુક થતી ન હોય લોકોને હાલાકી પડી રહી છે. હાલમાં પોસ્ટ ઓફિસમાં માત્ર પોસ્ટર માસ્તર અને એક જ કલાર્ક છે ત્યારે વહેલી તકે સ્ટાફની નિમણુક કરવામાં આવે તેવી માંગ સાથે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બકુલભાઈ વોરાએ અમરેલી હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટને રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.