Abtak Media Google News

આમોદ્રા, ડમાસા, ચીખલી, ખત્રીવાડા અને માણેકપુરમાં કામગીરીના પ્રથમ દિવસે જ ૨૬૦૧ શ્રમીકો જોડાયા

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં પાંચ ગામોમાં તા. ૧૭ મે થી તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આમોદ્રા, ડમાસા, ચીખલી, ખત્રીવાડા અને માણેકપુરમાં મનરેગા યોજના અંતર્ગત તળાવો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરીના પ્રથમ દિવસેજ ૨૬૦૧ શ્રમીકો જોડાયા હતા.

ઉના તાલુકાના અમોદ્રા ગામે રૂા.૫.૧૦ લાખ, ડામાસા ગામે રૂા.૧૨.૫૫ લાખ, ચીખલી ગામે રૂા.૧૩.૩૯ લાખ, ખત્રીવાડા ગામે રૂા.૨૧.૯ લાખ અને માણેકપુર ગામે રૂા.૨૦.૫૩ લાખના ખર્ચે તળાવો ઉંડા ઉતારવાની કામગીરી કાર્યરત છે. અંદાજીત રૂા.૭૨ લાખના ખર્ચે પખવાડીયા સુધી આ પાંચ ગામના તળાવો ઉંડા ઉતારવામાં આવશે. તળાવો ઉંડા ઉતારવાની કામગીરીના પ્રથમ દિવસે જ અમોદ્રામાં-૧૮૩, ડમાસામાં-૪૪૬, ચીખલીમાં-૪૮૦, ખત્રીવાડામાં-૭૫૬ અને માણેકપુરમાં-૭૩૬ એમ કુલ મળીને ૨૬૦૧ શ્રમીકો જોડાયા હતા. તેમને મહત્ત દૈનિક વેતન રૂા.૧૯૨ ચુકવવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.