Abtak Media Google News

અરવિંદભાઇ મણિયારના જન્મ દિવસ નીમીતે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ

અરવિંદભાઇ મણિયારના જન્મ દિવસ નીમીતે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા યોજાનાર  સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાલે હેમ ગઢવી હોલમાં ઓસમાણ મીરના સુરસંગમ કાર્યક્રમમાં શ્રોતાઓ ઝુમી ઉઠશે. ‘અબતક ’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા નીલેશભાઇ શાહ, હસુભાઇ ગણાત્રા, જાન્હવીબેન લાખાણી, ભરતભાઇ અડડકટ અને ભુપેન્દ્રભાઇ શાહએ વિશેષ વિગતો આપી હતી.

રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અરવિંદભાઇ મણીઆર ના જન્મદિન નિમિતે શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિ વર્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે. પાંચ ઓક્ટોબરે શ્રી અરવિંદભાઇનો 90 મો જન્મ દિવસ છે . છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વખતે પણ તા. આઠમી ઓક્ટોબર ના શનિવારના રોજ હેમુ ગઢવી હોલમાંરાત્રે 9:00 કલાકે  કચ્છ કાઠિયાવાડનો ગુંજતો અવાજ અને લોકગાયકી નો નવો આયામ આપનાર કાઠીયાવાડી કંઠ એટલે શ્રી ઓસમાણ મીર નો  સુર સરગમ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .

Dsc 6741

શ્રી અરવિંદભાઇ ના સાથી કાર્યકરોનું સન્માન છેલ્લા દોઢ દાયકાથી કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રી જમનાદાસભાઈ સોમૈયા ( મરણોત્તર ) ઉપરાંત  ધનસુખભાઈ વોરા, સિદ્ધરાજસિંહ ઝાલા, રશ્વીનભાઈ ડોડીયા, દિલીપભાઇ દોશી અને અશોકભાઈ પંડ્યાનું શાલ અને મોમેન્ટો આપીને અભિવાદન કરવામાં આવશે .

આ પ્રસંગે ઇફ્કોના નવા નિયુક્ત ચેરમેન દિલીપભાઇ સંઘાણીનું અને તાજેતર માં રાષ્ટ્રપતિ ચન્દ્રક મેળવનાર રાજકોટના પોલીસ કમિશ્નર રાજુભાઈ ભાર્ગવનું ટ્રસ્ટ તરફથી શાલ અને સ્મૃતિ ચિન્હ રૂપી મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવશે . આ દિવસે તા . 5 ઓક્ટોબર ના દેશની અગ્રીમ હરોળની સહકારી બેંક રાજકોટ નાગરિક સકારી બેંક નો સ્થાપના દિવસ હોય દર વર્ષે પરંપરા મુજબ ઉજવાતો હોય છે . આ વર્ષે  અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ ની સાથે રાજકોટ નાગરિક સહકારી બેંક અને પેલીકન રોટોફ્લેક્ષ પ્રા . લી . નો સહહ્રદય સહયોગ મળેલ છે કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રહેશે . મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપ  સી . આર . પાટીલ  અને અતિથી વિશેષ તરીકે કલેકટર  રાજકોટ , અરુણ મહેશભાઈ બાબુ ઉપસ્થિત રહેશે .

કાર્યક્રમ ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ  નીલેશભાઈ શાહ અને કમલેશભાઈ મહેતા અને કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઈ કથીરિયા, ઉપરાંત ટ્રસ્ટીઓ  હંસીકાબેન મીઆર, જ્યોતીન્દ્રભાઈ મહેતા, શિવુભાઈ દવે, મહાસુખભાઈ શાહ ઉપરાંત કલ્પકભાઈ મણીઆર, જયંતભાઈ ધોળકિયા, લક્ષ્મણભાઈ મકવાણા, પ્રભાતભાઈ ડાંગર, ઈન્દ્રવદનભાઈ રાજ્યગુરુ , રાજુલભાઈ દવે, ભુપેન્દ્રભાઈ શાહ, ગુણવંતભાઈ ભટ્ટ, જયંતીભાઈ પટેલ, રમેશભાઈ પરમાર, જહાનવીબેન લાખાણી, હસુભાઈ ગણાત્રા, ભરતભાઈ અનડકટ, હરીશભાઈ શાહ, અશોકભાઈ રાવલ, સંજયભાઈ ઓઝા , મનીષભાઈ શેઠ , ધર્મેશભાઈ મકવાણા , ધનુમામા અને સંજયભાઈ મોદી જહેમત ઉઠાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.