- ધાનેરા તાલુકાને બનાસમાંથી કાઢી વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ કરાયો
- જિલ્લા કલેકટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં ધાનેરાના રહેવાસીઓએ દર્શાવ્યો વિરોધ
- ધાનેરાને બનાસમાં જ રાખવા લોકોની માંગ કરાઈ
બનાસકાંઠા: ધાનેરા તાલુકાને બનાસમાંથી કાઢી વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સુરતમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં ધાનેરા તાલુકાના રહેવાસીઓએ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેમજ ધાનેરાને બનાસમાં જ રાખવા લોકોએ માંગ કરવામાં આવી હતી. બનાસકાંઠામાં તમામ સુવિધાઓ મળી રહે છે. તેમજ લોકોએ જણાવ્યું હતું કે ભૌગોલિક પરિસ્થિતિએ પણ અમને બનાસકાંઠા જિલ્લા નજીક પડતા છે. આ ઉપરાંત જુદા જુદા બેનરો અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ધાનેરાને બનાસમાં ફરી નહીં સમાવાય તો ગાંધીનગર સુધી ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર વિરોધ કરાવાના સ્થાનિકોના આક્ષેપો છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ અત્યારે ચરમસીમાએ છે. જિલ્લા વિભાજનને આજે 21 દિવસ થયાં છે અને વિરોધ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા વિભાજનની લડાઈ અત્યારે આરપારની લડાઈ બની ગઈ છે. આજે ધાનેરા બંધના એલાન સાથે અહીં જન આક્રોશ મહાસભાનું પણ યોજાશે. જેમાં અનેક રાજકીય નેતાઓ પણ વિરોધ કરવા માટે હાજર રહેવાના છે.
વિગતે વાત કરવામાં આવે તો, ધાનેરાના ધારસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારસભ્ય મફતલાલ પુરોહિત સહિતના નેતાઓ આગેવાનો આજે મહાસભા યોજાઈ રહીં છે. મળતી વિગતો પ્રમાણે ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજે જન આક્રોશ મહાસભા યોજાસે. આ મહાસભાને ધાનેરાના વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો આપશે. ભાજપ, કોંગ્રેસ, આપ, આર.એસ.એસના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ જન આક્રોશ મહાસભામાં હાજર રહેશ.
નોંધનીય છે કે, વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટરો સાથે જન આક્રોશ મહાસભામાં પહોંચશે. હવે આ લડાઈ આરપારની લડાઈ બની ગઈ છે. મહત્વની વાત એ છે કે, 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે, અને હજી પણ યથાવત છે. આગામી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માટે લોકો માંગણી કરી રહ્યાં છે. નવા જિલ્લાને અત્યારે ભારે વિરોધ થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે છે કે, સરકાર દ્વારા કેવા નિર્ણયો કરવામાં આવે છે.
એવામાં બનાસકાંઠા જિલ્લા વિભાજનને મામલે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે, કીડી જેમ કચડાવવાનું નથી ભમરો બની ડંખ મારવાનો છે. કારની કૂટ નીતિ સામે લડવાનું છે અને પોતાનો હક મેળવવાનો છે. સરકાર તમને ખોટા વાયદા કરીને ભરમાવશે પણ તમે ભરમાતા નહિ.