Abtak Media Google News

 

આપણે દર મિનિટે શ્ર્વાસમાં 8 લીટર જેવી હવા ફેફસામાં ભરીએ છીએ એટલે કે રોજની 11 હજાર લીટર હવા શ્ર્વાસમાં ભરાય જાય, જો હવામાં

‘હરિયાલા મૌસમ ઢોલ બજાતા આયા’ જાુની ફિલ્મના ગીત જેમ હવે આપણે સૌ જીવવું હશે તો પૃથ્વીને હરિયાળી બનાવવી જ પડશે, આપણે જ વિકાસના નામે બદલતી લાઇફ સ્ટાઇલે આપણા પગ ઉપર કુહાડો માર્યો છે જેની સજા આપણે કોરોનામાં ‘ઓકિસજન’ ની ભોગવી રહ્યા છીએ, આપણા પ્રાણ માટે જરુરી એવા પ્રાણવાયુ, ઓકિસજન આપણા વૃક્ષ ર4 કલાક હવામાં છોડીને આપણને જીવતા રાખે છે. તો પણ આપણે એનું જ છેદન કરીને આપણાં મૃત્યુને ખુલ્લુ આમંત્રણ આપીએ છીએ, દુનિયાભરના વૃક્ષોમાં વાંસનું વૃક્ષ બધા વૃક્ષો કરતા 30 ટકા વધુ ઓકિસજન આપે છે. વૃક્ષો આપણી પ્રાણવાયુની અખુટ ફેકટરી છે. તે જેટલા વધારે વાવો ઉછેરો જતન કરો તેટલું તમારું મારૂ ને સૌનું જીવન ટકશે.

બધું વાતાવરણ બરાબર હોય તો છોડનું દરેક પાંદડુ દર એક કલાકે પાંચ મિલિલીટર ઓકિસજન હવામાં આપે છે.

Tulsi34

લીંમડો, વડ, તુલશી, પીપળો જેવા વૃક્ષો દિવસમાં ર0 કલાક સતત હવામાં ઓકિસજન છોડે છે. શહેર કરતાં ગામડામાં વૃક્ષો વધારે છે તેથી આપણને ત્યાંની હવામાં તાજગી લાગે છે. તંદુરસ્ત જીવન માટે હવા, પાણી, ખોરાક જેટલો શુઘ્ધ તેટલું જીવન ‘અમર’ સમાન શ્રેષ્ઠ હોય શકે, આપણે સૌ જાણીએ છીએ કે ઓકિસજન બનાવવાનું કામ વૃક્ષોના પાંદડા કરે છે. પાંદડા એક કલાકમાં પ મલીલી મીટર ઓકિસજન બનાવે છે. તેથી જ જે વૃક્ષોના પાંદડા વધુ તે વૃક્ષ વધુ ઓકિસજન આપે તે સ્વભાવિક છે. પીપળાનું ઝાડ સતત રર કલાક ઓકિસજન આપે છે.

જો હવામાં ઓકિસજન લેવલ 10 ટકા થઇ જાય તો આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે.
આવી સ્થિતિમાં વિવેક, બુઘ્ધીવગર હાલ ચાલ કરીએ અથવા સ્થિત થઇ જાય

વૃક્ષો આપણને છાંયડો આપે જે જીવન પણ જો તે ન હોય તો આપણું જીવન અશકય છે. કારણ તેના દ્વારા બનતા ઓકિસજનથી જ આપણે જીવીત રહીએ છીએ, વૃક્ષોની કતલ એટલે આપણાં જીવનની પણ કતલ થઇ જાય એ 100 ટકા નગ્ન સત્ય છે. માટે દરેક વ્યકિતએ 10 વૃક્ષો અવશ્ય વાવવા જ પડશે, આવનારી પેઢીને બીજાું કશું જ આપો નહી આપો ફકત વૃક્ષો.. વૃક્ષો…. વૃક્ષો…!! દરિયાઇ છોડ પર્યાવરણમાં હાજર 70 થી 80 ઓકિસજન આ પ્લાન્ટ આપે છે. આપણી મોટાભાગની દરિયાઇ હોવાથી આ છોડ પૃથ્વી પરનો સૌથી ઓકિસજન આપે છે. આ છોડ જમીની છોડથી વધુ ઓકિસજન આપે છે.

જો હવામાં 6 ટકા ઓકિસજન થઇ જાય તો આપણે અને બધા જીવ મુત્યુ પામે

એક પરિપકવ વૃક્ષ 48 કી.બી. ના દરે હવામાંથી કાર્બન ડાયોકસાઇડને ગ્રહણ કરીને બે મનુષ્યોને જીવીત રહે તેટલો ઓકિસજન વાતાવરણમાં પરત કરે છે. એક એકર જમીનમાં વાવેલા વૃક્ષો 18 લોકો માટે એક વર્ષ માટે શ્ર્વાસ લેવા માટે પુરતી ઓકિસજન વ્યવસ્થા કરે છે. 26000 કી.મી. ચાલેલી કારનો કાર્બન ડાયોકસાઇડ આ વૃક્ષો લઇને જીવન રક્ષક ઓકિસજન આપણને આપે છે.

એક વૃક્ષ દર વર્ષે આશરે ર60 પાઉન્ડ ઓકિસજન પેદા કરે છે. બે વૃક્ષો ચાર પરિવારને પુરતા પ્રમાણમાં ઓકિસજન આપે છે. આગામી દિવસોમાં કોફીબાર, જયુશ બારની જેમ ઓકિસજન બાર પણ ખુલશે જયાં માણસો ઓકિસજન પીવા જશે મતલબ કે નાક આગળ નળી ગોઠવીને ઊંડા શ્ર્વાસ ભરી ઓકિસજન લેશે. જેને કારણે તેને ઉર્જા, થનગનાટ વધશેને થાક દુર લાગશે, જો કે આનું પણ સૌને વ્યસન થઇ જશે !! આજે ફલેટના જંગલો ઉભા થઇ ગયા છે ત્યાં ઘરમાં વૃક્ષો કોણ વાવશે બધાને હાઇ-ફાઇ જીંદગી જીવવી ગમે છે ત્યાં વૃક્ષોને કોણ યાદ કરે પણ એકવાત નકકી કે જો વૃક્ષો નહી રહે તો આપણે સૌ પણ નહી રહીએ એ વાત નકકી !!

14.5 ટકા તો ઉચ્છવાસમાં બહાર ફેંકી દઇએ છીએ, આપણને તાજગીથી
જીવવા રોજ પપ0 લીટર ઓકિસજન મળવો જ જોઇએ

Tulsi 1

વૃક્ષોની પસંદગીમાં ઇકો સિસ્ટમ અને બાયોડાઇવ સિટીનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ, પીપળો, બદામ, કપોક, કોર્ડિયા, કદમ, પંગારા અને કોનોકરપર્સ જેવા વૃક્ષો 24 કલાક આપણને ઓકિસજન આપે છે, એક વૃક્ષ પીપળા વિશે ખાસ જાણવા જેવી છે, તે વિષ્ણુને પ્રિય હતું તેથી જ શ્રઘ્ધાવિધી તેની નીચે કરાય છે, બુઘ્ધ ભગવાનને પણ આ વૃક્ષની નીચે જ્ઞાન મળ્યું હતું. સિલોનમાં એક પીપળાનું વૃક્ષ છે જે ઇ.સ. પૂર્વે 288 માં વવાયું હતું આપણા ધર્મમાં પણ જીવજંતુઓ અને વૃક્ષોને ધર્મ સાથે જોડેલ છે. ઔષધિ તરીકે પણ પીપળાનું અનેરૂ મહત્વ છે. આજે તો ઘણી જગ્યાએ મેડીસીન પ્લાન્ટના ગાર્ડન સાથે ઓકિસજન ગાર્ડન બનાવાયા છે પણ એકલ દોકલથીના ચાલે હવે તો યુઘ્ધના ધોરણે સૌ મંડી પડો ઝાડવા વાવવા !!

એક વૃક્ષની વેલ્યુ જોઇ તો તે ર0 કિલો શોષી લે છે સાથે દર વર્ષે 700 કિલો ઓકિસજન આપે છે. દર વર્ષે 20 ટન કાર્બન ડાયોકસાઇડ લઇને હવા શુઘ્ધ કરવાનું કાર્યકર છે. ગરમીમાં વૃક્ષની નીચે 4 ડીગ્રી તાપમાન વૃક્ષ અકોસ્ટિક વોલનું કામ કરીને ઘોંઘાટ ને શોષી લે છે. આ વૃક્ષને 80 કિલો પારો, લિથિયમ, લેડ વગેરે ઝેરી ઘાતુના મિશ્રણને શોષવાની ક્ષમતા ધરાવે છે. એટલે જ આપણને તેના છાંયડામાં બેસવાથી પોઝિટિવ એનર્જી મળે છે.

વૈજ્ઞાનિકોના મત મુજબ પૃથ્વીની ઉત્પતિ થઇ ત્યારે પૃથ્વી ઉપર ઓકિસજન ન હતો ત્યારે અમુક બેકટેરિયા દ્વારા ઓકિસજન બનાવવાની શરુઆત થઇ જેને ગ્રેટ ઓકિસજન ઇવેન્ટ તરીકે ઓળખાય છે. જો કે બાદમાં વૃક્ષો ઉત્પન્ન થતાં તેણે બનાવવાનું શરુ કર્યુ, પૃથ્વી ઉપર ત્રીજા નંબરનું સૌથી વધારે પ્રમાણ ધરાવતું તત્વ ઓકિસજન છે. તે પૃથ્વીના વાયુ મંડળમાંથી સ્વતંત્ર મળી શકે છે. ઓકિસજન રંગહીન, ગંધહીન અને સ્વાદ હીન હોય છે. ઓકિસજનના ત્રણ પરમાણુંથી ઓઝોન વાયુનું નિર્માણ થાય છે. પૃથ્વીના વાતાવરણમાં ર1 ટકા ઓકિસજન અને 7 ટકા નાઇટ્રોજન છે. બાકી બધા ગેસ 1 ટકાની અંદર આવી જાય છે.

“પધારો…. વૃક્ષ…. વધારો આવજો…વૃક્ષ…વાવજો”

19.5 ટકા ઓકિસજન ન હોય તો જ શકય બને બાકી તો આટલો પુરતો
ઓકિસજન લઇએ તો પણ પ ટકા જ વાપરીએ છીએ બાકી રહેલ

ગત વર્ષે  એક અંદાજી આંકડા મુજબ હાલ આપણાં ગુજરાતમાં 3પ કરોડ વૃક્ષો છે જે પૈકી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. ગામડામાં એક અંદાજ મુજબ એક વ્યકિત દીઠ પ કે છ વૃક્ષો છે. જયારે શહેરોમાં 100 નાગરીકો વચ્ચે માત્ર 11 વૃક્ષો છે. આપણે જ વિકાસની હરફાળે સિમેન્ટના જંગલો ઉભા કરતાં શહેરમાં 10 નાગરીકો વચ્ચે એકાદ ઝાડ કદાચ મળી શકે છે. જો શુઘ્ધ હવાની વાત કરીએ તો 10 નાગરીકો 70 વૃક્ષો હોય તો માણસ તંદુરસ્ત રોગ વગરની જીંદગી જીવી શકે છે. જેમ વૃક્ષ ઓછા તેમ હવામાં પ્રાણવાયુ ઓછો હોય  જો આપણે તાજગી સભર જીવન જીવવું હોય તો હવામાં 19.5 ટકા ઓકિસજનનું પ્રમાણ હોવું જોઇએ, જે આજે કયાંય જોવા કદાચ ન મળી શકે તેટલું હવાનું પ્રદુષણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.