Abtak Media Google News

રાજકોટ થી સોમનાથ ની વચ્ચે ટ્રેન દ્વારા રોજિંદા હજારો મુસાફરો અપડાઉન કરી રહ્યા હોય સોમવારે સાંજના રાજકોટ થી ઉપડતી અને સોમનાથ જતી લોકલ ટ્રેન નો પાવર ગોંડલ આશાપુરા ફાટક પાસે બંધ પડી જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા ગોંડલના મુસાફરોને બે થી ત્રણ કિલોમીટર પગપાળા ચાલવાની ફરજ પડી હતી.રાજકોટ થી ગોંડલ થી લઈ ને વેરાવળ સુધી રોજીંદા અપડાઉન કરતા મુસાફરો હેરાન પરેશાન બન્યા હતા.રેલવે તંત્ર દ્વારા ટ્રેનના પાવરમાં રીપેરીંગ કામ કરી ફરી શરૂ કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને અન્ય પાવરની વ્યવસ્થા પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.