રાજકોટ થી સોમનાથ ની વચ્ચે ટ્રેન દ્વારા રોજિંદા હજારો મુસાફરો અપડાઉન કરી રહ્યા હોય સોમવારે સાંજના રાજકોટ થી ઉપડતી અને સોમનાથ જતી લોકલ ટ્રેન નો પાવર ગોંડલ આશાપુરા ફાટક પાસે બંધ પડી જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા ગોંડલના મુસાફરોને બે થી ત્રણ કિલોમીટર પગપાળા ચાલવાની ફરજ પડી હતી.રાજકોટ થી ગોંડલ થી લઈ ને વેરાવળ સુધી રોજીંદા અપડાઉન કરતા મુસાફરો હેરાન પરેશાન બન્યા હતા.રેલવે તંત્ર દ્વારા ટ્રેનના પાવરમાં રીપેરીંગ કામ કરી ફરી શરૂ કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને અન્ય પાવરની વ્યવસ્થા પણ કરી હતી.
Trending
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા
- ગાંધીધામ : ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
- મોદી અને રાહુલને વિવાદાસ્પદ નિવેદનને પગલે ચૂંટણી પંચે ફટકારી નોટિસો
- જસદણની કોલેજમાં વિધાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા હોવાના વીડિયો વાયરલ થતાં ખળભળાટ