Abtak Media Google News
શ્રી ગણેશ જળ તત્વના અધિપતિ છે: ૐ કારનો પ્રથમ ભાગ એ દુંદાળાનો ઉદર, મધ્યભાગ એટલે સૂંઢ, ઉપરનો ભાગ અર્ધચંદ્રકૃતિ અને અનુસ્વાર એટલે એકદંતનો મોદક

ગણેશ-ગણના ઈશ, ત્રણ-સમુહ-દેવતાઓનાં ‘ઈશ’ સ્વામી એટલે ગણેશ-ગણનો અર્થ પાલન કરનાર પણ થાય મહર્ષિ  પાણિનીના કથન અનુસાર ગણ એટલે,અષ્ટવસુ યાને દિશા-ગણપતિ આઠેય દિશાઓ ખૂણાઓનાં સ્વામી છે. તેમની પરવાનગી વગર એક પણ દેવતા કાર્ય કરી શકતા નથી પ્રથમ  ગણપતિ પૂજન કરાય ત્યારબાદ દશે દિશાઓનાં  સ્વામીને  પ્રવેશ મળે, ગણનો અન્ય અર્થ થાય પવિત્ર  જે પવિત્રતાના સ્વામી છે, એ ગણેશ શાસ્ત્ર કહે છે.

Om Ganesh Images – Browse 7,515 Stock Photos, Vectors, And Video | Adobe Stock

ગણાનાં જીવજાતાનાય: દેશ: સ્વામી ગણેશ

જે સમસ્ત જીવ-જાતિના સ્વામી છે એ ગણેશ.

શાસ્ત્રોમાં  પંચતત્વોનાં અલગ અલગ  અધિપતિ નકકી કરવામા આવ્યા છે. ‘પૃથ્વી’ તત્વના ભગવાન શિવજી ‘જળતત્વના ગણેશજી, ‘અગ્નિ’ તત્વના શકિત, ‘વાયુ’ તત્વના સૂર્ય, અને આકાશ તત્વના   અધિપતિ ભગવાન વિષ્ણુ છે. અને  એટલે જ ભગવાન પશુપતિનાથ પાર્થિવ રૂપે પૂજાય છે.  આકાશ તત્વના વિષ્ણુ શબ્દ રૂપે  પૂજાય છે.  અગ્નિ તત્વના શકિતની  યજ્ઞ દ્વારા પુૂજા કરાય છે. સૂર્યને  નમસ્કાર દ્વારા પ્રસન્ન   કરાય છે.જયારે શ્રી ગણેશ જળ તત્વના  અધિપતિ અગ્નિ-સોમથીજ આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ સૃષ્ટિના આરંભે કેવળ જળ હતુ, અન્ય કશું  નોતું. અત: સ્વભાવિક પણે સિધ્ધ્ થાય  કે, જળ યાને જીવન તત્વ એવા પ્રથમ ગણપતિનું પૂજન કરાય છે, વાસ્તવમાં  ગણપતિ અનાદી અનંત, હોવાથી ભગવાન  શંકરના લગ્નમાં પણ ગણેશજીની પ્રથમ પૂજા  કરાયી હતી બાકી તો સમય સમય   પર ઈશના  અવતરણનો આ લીલા વિસ્તાર છે.

એક એવીપણ  કથા છે કે, એકવાર દેવી-દેવતાઓ વિચાર વિર્મશ કરી રહ્યા હતા કે, પ્રથમ કોનું  પૂજન કરવામાં આવે,  વિચારણાને  અંતે એવો નિર્ણય  લેવામાં આવ્યો કે, જે દેવતા ગણલોકની પ્રથમ  પ્રદક્ષિણા કરી આવે તેને આ  સ્થાન  મળશે. ગણલોક તુલ્ય કહેવાય  એવી પોતાના માતા-પિતાની  રામનામ લઈ પ્રદક્ષિણા કરી ગણેશજી પોતાના   નિર્ધારીત  સ્થળે પરત આવી ગયા આમ તેમને પ્રથમ પૂજાવાનું સ્થાન  મળ્યું.અન્ય કથા  અનુસાર શિવજીને પ્રવેશવાન દેતા, શિવજીએ તેનું મસ્તક છેદી નાખ્યું, આ દ્રશ્ય જોઈ  માતાના આક્રંદથી   દ્રવિત થઈ શિવજીએ   હાથીના મસ્તક સ્થાપન કરી   સૌ પ્રથમ પૂજાવાનું વરદાન  આપ્યું.  અન્ય કથા અનુસાર  વિષ્ણુએ   પણ તેમને પ્રથમ  પૂજાવાનું વરદાન  આપ્યું હતુ.

તત્વજ્ઞાનની દ્રષ્ટિએ   ગણેશ શબ્દ બ્રહ્મ યાને ૐકારનું  પ્રતિક છે. સૃષ્ટિની ઉત્પતિની શરૂઆતમાં  ૐ ઈતિધ્વનિરભૂતં મતલબ ૐ એવો ધ્વનિ થયો. આ  ધ્વનિનો  દ્રશ્ય સ્વરૂપ   સર્વે ગજાકાર એટલે કે ઓંકાર ગજ-હાથીના  મુખ જેવો છે.  અને પ્રથમ ૐ મૂકયા સિવાય કોઈ  મંત્રો સિધ્ધ થતા  નથી એટલે જ ૐ કારા યાને પ્રથમ ગણેશ પૂજનની મહત્તા છે. વાસ્તવમાં  ૐ એ    અવ્યકત બ્રહ્મનું  વ્યકત થયેલું પ્રથમ સ્વરૂપ છે. એ રીતે આપણા આર્ષદ્રષ્ટાઓએ ગણેશજીની ૐકાર સાથે કરેલી તુલના યથાર્થ   કરે છે. ૐકારનો  પ્રથમ ભાગ   એ દુંદાળાનો ઉદર, મધ્યભાગ  એટલે સુંઢ, ઉપરનો ભાગ એટલે અર્ધચંદ્રકૃતિ અને અનુસ્વાર એટલે, એકદંતનો મોદક !

2 04 44 58 Ganesha 1 H@@Ight 420 W@@Idth 800

કહેવાય છે કે ગણેશના તીવ્ર દર્શનની અદમ્ય  ઈચ્છાથી  માતા પાર્વતીએ   એકાક્ષરી મંત્રની અઘોર    અવિરત જાપ વડે બાર વર્ષ સુધી  કઠીન તપ  કર્ર્યું અને  આ  તપથી પ્રસન્ન  થઈ ગુણ વલ્લભ  ગણેશે પ્રગટ થઈ  માતાને ત્યાં પુત્ર રૂપે અવતરવાનું  વરદાન  આપ્યુ. એ મુજબ ભાદ્રપદની   ચતુર્થીનાં મધ્યાન  કાળે પાંચ  ગ્રહના શુભ   સંગમે  સોમવારે સ્વાતિ  નક્ષત્ર અને સિંંહ લગનમાં  સફળતા અને સૂફળતાના દાતા ભગવાન  શ્રી ગણેશનું અવનિ પર અવતરણ થયું  કઠોર  સાધના અને આરાધનાના આંસુ   સરે અને પ્રસ્વવેદ   પડે તો જ સફળતા   સાંપડે.

આ ગજાનન ગણેશ  સુમુખના સ્વરૂપની પાછળ પણ દિવ્ય, ભવ્ય, ભાવવાહી   સુંદર    સંકેત    અને સંદેશની શીખી  સરવાણી વહે છે.

દાર્શનીકોની દ્રષ્ટિએ સમાજના પ્રમુખ નેતા પાસે હાથીનું  મસ્તક હોવું જોઈએ,  હાથી એ પ્રખર  બુધ્ધિ  મત્તાનું પ્રતિક છે.

ગજનો  અન્ય અર્થ થાય સમાધિ દ્વારા    યોગી જયાં પહોચવા ઈચ્છે છે, તેને ‘ગ’ કહેવાય અને જેમાંથી જગત ઉત્પન્ન  થયું તેને ‘જ’ કહેવાય આમ  ‘ગજ’નો અર્થ  પરબ્રહ્મ   પરમાત્મા થયો.  યોગ માર્ગમાં શરીરની  ઉર્જાને   ઉર્ધ્વગમન કરવા માટે મુલાધાચક્ર કેન્દ્ર સ્થાને છે.   ત્યાંથી જ કુંડલીની જાગૃત થાય છે.  મુલાધારનો  આકાર અને રંગ   ગણપતિ  જેવો છે. મતલબ  જીવને શિવ સાથે    જોડાણ કરનાર પ્રથમ સોપાન  શ્રીગણેશ છે. આજ નિયમને    આપણા ઘરમાં પણ લાગુ પાડી શકાય. જેમ યોગ માર્ગમાં ઉંચે ઉઠવા  કરોડરજજુ   એનો આધાર છે,  એમ ઘરમાં પ્રવેશતી ઘન ઉર્જાનો  મુખ્ય માર્ગ  આપણો પ્રવેશ દ્વાર છે.. ઘરનાં  મુખ્ય પ્રવેશ દ્વારના માર્ગે પ્રવેશની ઉર્જા આપણા ઘરમાં ભ્રમણ કરે છે. આને  આવકારવા માટે આપણુ પ્રવેશ દ્વાર  છે. તેથી જ ગણેશજીને   દ્વારના   ઉપલા મધ્ય   ભાગમાં (ગણપતિનું) સ્થાપન કરાય છે.

ગણપતિનું પેટ સાગર જેવું  છે જે સાગર પેટા હોય તે જ સર્વેના સુખ-દુ:ખ રહસ્ય   પેટમાં સંગ્રહી  શકે, વિશળ પેટએ સંગ્રહશકિત અને સહનશકિતનું પ્રતિક છે.   સુપડા જેવા કાન એટલે, સર્વેનું સાંભળવું, સારૂ ગ્રહણ કરવું અને ખરાબ સુપડાની  પેઠે ફેંકી દેવું. એમની ઝીણી આંખો   દિર્ઘ દ્રષ્ટિનું   સૂચન કરે છે.ગણપતિનો એક  દાંત માયાનો પણ ઘોતક છે.   જે માયાને વશમાં   અને કશમાં રાખી શકે છે.  એજ  ઉર્ધ્વગતિ  કરી બ્રહ્મને પામી શકે બ્રહ્મ એક જ છે, એનો પણ આ એક દંત નિર્દેશ કરે છે.

મહાભારતનું આલેખન   કરવા વ્યાસજીના આદેશ અનુસાર, ગણપતિએ    પોતાના એકદાંતનો ઉપયોગ કર્યો હતો. પોતાની પ્રિય વસ્તુ  પણ અર્પણ કરવી પડે તો સેવાના કાર્યમાં પાછી પાની  ન કરવી જોઈએ  આની પાછળનો આવો પુનીત   ભાવ  છે. કથા અનુસાર ભગવાન પરશુરામ માતાજીના દર્શનાર્થે ધાર્યા પણ માતાજીની  જ આજ્ઞા અનુસાર શ્રી ગણેશજી એ પરશુરામને  અંદર જતા રોકયા, એટલે પરશુરામે પરશુથી તેમનો એક દાંત તોડી નાખ્યો એટલે તેઓ  એકદંતા કહેવાયા.

ગણપતિના   ચાર હાથ કાર્ય શિલતા તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના  પ્રતિક   છે.તે ક્ષત્રીય વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્રને   સમાન ગણવાનું પણસૂચન કરે છે. આ ચાર   હસ્તથી સુંદર સ્વાસ્તિક   રચાય છે. ‘સુ’ સારૂ, કલ્યાણમય, મંગલમય, અને ‘અસ’ એટલે સત્તા,   અસ્તિત્વ, કલ્યાણમય  અસ્તિત્વ.

મસ્તક ઉપર ચંદ્રમાની શોભા શિતળતા શાંતતા,  પ્રજ્ઞાયુકત  જ્ઞાનનું પ્રતિક છે.  પાશ અને અંકુશ રૂપી બે આયુઘોમાં પાશએ બંધનનું પ્રતિક છે. ભવ બંધનમાંથી છૂટવાની શીખ અર્પે છે. જયારે અંકુશ અનિષ્ટ અને   દુષ્ટ દમન કરવાની ચેતવણી ઉચ્ચારે છે.

એમનું વાહન  ઉંદર (આની  પાછળ પણ કોંચ ગ્રંધર્વની કથા છે) ઉંદરની   વૃત્તિ  ચોરી કરવી, ફૂંકી ફૂંકી ખાવું યાને પાપ વૃત્તિની   ચોરી કરવી યાને પાપ વૃત્તિને  દબાવો,બીજુ કાર્ય છે. સંચયવૃત્તિ, જે આગળનું વિચારે છે. સમજી સમજી ફૂંકી ફૂંકી આગળ વધે છે.   જેમાં ગતિ છે. સતર્કતા છે, ચંચળતા છે, તેને જ સફળતા મળે છે. મુષકનો અન્ય અર્થ થાય માયા, માયા આપણા ઉપર   સવાર થાયતો  જીવન એળે જાય. માયા ઉપર આપણે  સવાર થઈએ  તો બેડોપાર થાય, માયાનો અન્ય અર્થ વાસના પણ થાય, વાસનાને  દબાવી તેને ઉપાસનામાં ફેરવો તો   હર સિધ્ધિ   સાંપડે અનેસિધ્ધેશ્ર્વરના દર્શન થાય.  ઋષિ પંચમીના દિવસે મુષકને  ખીરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે.દુ+અવમ=દુર્વા-દુ એટલે દૂર અને અવમ એટલે પાસે દૂર રહેલા ગણેશના  પુદઝલને નજદીક લાવે તે દુર્વા, આ એમની પ્રિય દુર્વા-દાભડો સસ્તી સુલભ રોગ નાશક, પીત, ગરમી, શામક અને શકિત વર્ધક છે.એમાં પ્રોટીનનું   પ્રમાણ વધારે છે.  એવું કહેવાય છે આ દુર્વા વિષમ સંખ્યામં  ગણપતિજીને    ચડાવાય છે. ખાસ કરીને  21 સંખ્યામાં  શાસ્ત્ર અનુસાર 1 એટલે,  મુળ અને 3 એટલે  કર્તા હતા, ધર્તા યાને ઉત્પતિ,  સ્થિતિ અને લય કરનાર 1 એટલે બ્રહ્મ, 2 એટલે માયા અને  3 એટલે અવિદ્યા અવિદ્યા   માયામાંથી   છોડાવી એકમાં લાવે એ એકદંતા

Bal-Ganesh

આમ  દુર્વા એ   વૃધ્ધિ  વિકાસનું પ્રતિક છે, સાત પૃથ્વીલોક  સાત સ્વર્ગલોક , અને સાત નરલોક એમ  એકવીસ  લોકનું વર્ણન   પૂરાણમાં છે.એથી 21 સંખ્યામાં દૂર્વા અને મોદક ગણપતિજીનીે   અર્પણ કરવામાં આવે છે. આસિવાયતેમને શમીના પાંદડા  અને મંદારના પાંદડા પણ અર્પણ કરાય છે.   ચડાવાય છે. શમીમાં અગ્નિનો વાસ છે.  તે  તેજસ્વિતા ઓજસ્વિતાનું   પ્રતિક છે.  પોતાના અસ્ત્રો તેજસ્વી રહે એ માટે પાંડવોએ   વનવાસ     વખતે શમીના વૃક્ષની   બખોલમાં રાખ્યા હતા.   યજ્ઞ કાર્યમાં  મંથન કરી જે અગ્નિ  પ્રદિપ્ત   કરાય છે. તે શમીના કાષ્ટમાંથી  કરાય છે.

ગણપતિને    જાસવંતીના   લાલ ફૂલ અને લાલ રંગ પસંદ છે. પુરાણ કથા અનુસાર  સુંદર  અસુરને  મારી તેના રકતનું લેપન કર્યું, અને રકતવર્ણા બન્યા. આ લાલ રંગ ઉર્જા વર્ધક છે. શૌર્ય ક્રાંતિનું પ્રતિક છે.  કહેવાય છે કે  આ લાલ રંગને કારણે વાતાવરણમાં   ગણપતિજીના   પવિત્રકો મૂર્તિ તરફ વધારે    પ્રમાણમાં   આકૃષ્ટ  થાય છષ.અને મૂર્તિને   જાગૃત   કરવામાં મદદ રૂપ થાય છે.

એમનું પ્રિય ભોજન લાડુ એટલેમોદ, પ્રમોદ,આનંદ લોટ ઘી, ગોળ વિગેરે  મળી લાડુ બને છે.  લાડુ એ સંઘશકિતનું પ્રતિક છે.આપણે એકતા  આતમ્ીયતા  અપનાવશું તોઆપણી અખંડીતતાને   ઉની આંચ પણ નહી આવે જીવનમાં મીઠાશ આવશે અનેજીવતર આનંદમાં વિતશે આદર્શ ગણતંત્રનો અદ્ભૂત  સંગમ ગજાનનમાં સમાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.