ચોટીલા ખાતે ઘરેથી ભાગીને આવેલો અજાણ્યો કિશોર મળી આવતા પોલીસે બાળકની પુછપરછ આદરી હતી જેમાં તેનું નામ પુછતાં પોતાનું નામ ગોવિંદભાઈ બચુભાઈ ભરવાડ (ઉ.વ.૧૬) હોવાનું અને ખંભાત ખાતે એચ.કે.વાઘેલા સ્કુલ ખાતે ધો.૧૧માં અભ્યાસ કરે છે ત્યાંથી ભાગીને આવેલા અને કોઈને કહ્યા વગર ટ્રાવેલ્સની બસમાં બેસી ચોટીલા દર્શન કરવા આવતો રહેલ હોવાનું જણાવેલ હતું. દરમ્યાન ચોટીલા પોલીસ દ્વારા બચુભાઈ રાજાભાઈ પરમાર (ઉ.વ.૩૨, રહે.ગુડેલ, તા.ખંભાત જી.આણંદ) મો.નં.૯૦૯૯૬ ૫૧૦૨૧નો સંપર્ક થતા પોતાનો દિકરો ગુમ થયા અંગે શોધતા હોવાનું જાણવા મળતા પોલીસ સ્ટેશન બોલાવી ગુમ થયેલ દિકરાને સોંપવામાં આવેલ. પોતાની ગુમ થયેલ દિકરો આખો દિવસની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા પરીવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક