Abtak Media Google News

દાતાઓને વિવિધ યોજના લાભ લેવા અનુરોધ

અબતક, રાજકોટ

દશાશ્રીમાળી અને વણિક જૈન વિઘાથી ભવન, માલવીયા ચોક, રાજકોટ ખાતે 113 વર્ષ જુની હજારો વિઘાર્થીઓને આશીર્વાદરૂપ જૈન બોડિંગનું પુન: નવનિર્માણ નવીનીકરણનું આયોજન પૂ. ધીરજમુનિ મ.સા.ની પ્રેરણાથી કરવામાં આવેલ છે. આશરે 1પ00 વારની જગ્યામાં ગ્રાઉન્ડ ફલોરમાં અદ્યતન વિવિધલક્ષી હોલ, ભોજન ખંડ તેમજ ફર્સ્ટ અને સેક્ધડ ફલોરમાં 34 રૂમ, લાયબ્રેરીના બે હોલ, લીફટની સુવિધા સાથે નિર્માણ થશે.

નવનિર્માણમાં વિવિધ લક્ષી હોલ નામકરણનો લાભ શાહ સોદાગર, જાણીતા દાનવીર અને જુની પેઢીના ટ્રસ્ટી નરભેરામ પાનાચંદ મહેતાની સ્મૃતિમાં સીંગાપોર સ્થિત પ્રવીણભાઇ અને વસુબેન મહેતાએ રૂ. પ1 લાખનું માતબર અનુદાનની ઘોષણા કરતા ઉમંગ છવાયો છે. જયારે રૂમ નામકરણમાં વિદ્યાર્થી અને સાહિત્યકાર ગુણવંતભાઇ બરવાળીયાએ શુભારંભ કરેલ છે. નજીકના ભવિષ્યમાં નિર્માણ કાર્યનો પ્રારંભ થશે. દાતાઓને વિવિધ યોજનામાં લાભ લેવા અનુરોધ કરેલ છે. વધુ વિગત માટે વિમલ પારેખ મો. નઁ. 98242 60760 નો સંપર્ક કરવો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.