Abtak Media Google News

આપણાં દેશની ઘણી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો છે. જેમાં વસ્તી વધારો સૌથી મોટી ચેલેન્જ છે. વૈશ્ર્વિક માનવ વસ્તી વધારો આશરે વર્ષે 7.5 કરોડ એટલે કે 1.1 ટકા છે. વિશ્ર્વની વસ્તી 1800માં એક અબજથી વધીને 2012માં 7 અબજ થઇ ગઇ તો આ સદીના અંતમાં તે વધીને 10 અબજ થશે તેવો એક અંદાજ છે. વસ્તી વધારાનો દર શોધવો હોય તો એ શરૂઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. જે સામાન્ય રીતે ટકામાં દર્શાવાય છે.

મૃત્યુદરમાં વધારો સાથે દુષ્કાળ, વિવિધ રોગચાળાઓ જેમાં કોલેરા, પ્લેગ, ક્ષય, કોરોના, મેલેરીયાના ઉંચા પ્રમાણે દર ઉંચો રહ્યો છે: 1951માં ભારતના આયોજનનો આરંભ થયો હતો

જેટલી ઝડપે દેશની વસ્તી વધી રહી છે. જેને કારણે દેશનાં વિકાસ ઉપર માઠી અસર પડી છે. બધા લોકો જાણે છે કે રાષ્ટ્રીય સંશાધનો પૈકી એક મોટો હિસ્સો દેશની વિશાળ વસ્તીના ભરણપોષણ પાછળ જ ખર્ચાય જાય છે. આ એક ગંભીર સમસ્યા છે. તેને સ્થિર કે નાથ્યા વગર ભારત પોતાની વિવિધ જટીલ સમસ્યામાંથી બહાર ન આવી શકે. ભારતમાં હાલમાં અનેક સમસ્યાઓમાં ગરીબી, ભ્રષ્ટાચાર, ભૂખમરો જેવી સમસ્યા છે. લોકોને તમામ પ્રકારની સુવિધા પહોંચાડવામાં વસ્તી વધારો આડે આવે છે. બધાને રોટી, કપડા, મકાન સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષિત પાણી જેવી મૂળભૂત સમસ્યામાં પણ વસ્તી વિસ્ફોટ નડે છે. 1947માં 33 કરોડને 2018માં 135 કરોડની વસ્તી આપણા દેશની થઇ. છેલ્લા 70 વર્ષમાં વસ્તી ચાર ગણી વધી ગઇ છે. આજે દુનિયાની દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. ચીનની વસ્તી ભારત કરતાં માત્ર સાત કરોડ વધું છે.

1952માં આપણી વસતી 36 કરોડ હતી, જે 1971માં 56 કરોડ થઇ ગઇ:
ભારતમાં ફેમિલી પ્લાનીંગને ક્યારેય ગંભીરતાથી લીધું નથી

વસ્તી ગણતરી 2020માં દેશમાં રહેતા તમામ વયસ્ક શિશુ અને બાળકની ગણતરી થાય છે. વિશ્ર્વમાં સૌથી યુવા વસ્તી ભારત દેશમાં છે. આગામી 8 વર્ષમાં વિશ્ર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બની જશે. ભારતમાં વસ્તી વધારાનો દર ચીન કરતાં ડબલ છે. છેલ્લા 25 વર્ષમાં ચીનમાં 20 કરોડ તો ભારતમાં 42 કરોડ થયો છે. ભારતીયોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. વિશ્ર્વમાં હાલ એવરેજ આયુષ્ય 72 વર્ષની નજીક પહોંચ્યું છે.

દર 11મી જુલાઇએ વિશ્ર્વ વસ્તી દિન ઉજવાય છે. 11 જુલાઇ 1987નાં રોજ વિશ્ર્વની વસ્તી 5 અબજને પાર કરી તે દિવસની પ્રેરણા લઇ આ દિવસ ઉજવાય છે. આપણાં દેશમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકો જાગૃત થાય તે જરૂરી છે. આજે જન્મ લેનાર બાળક સામે આવનારા પડકારો અને સમસ્યાનો ઉકેલ જાણવા સૌએ કટિબધ્ધ થવું પડશે. એક વાત એવી પણ છે. આ વસ્તી વધારા પાછળનું મુખ્ય કારણ નિરક્ષરતાનું વધતું પ્રમાણ મનાય છે.

પુરૂષની સામે સ્ત્રીની ઘટતી સંખ્યા પણ વિષમતા સર્જે છે:
પૃથ્વી પર માનવનું સર્જન થયું ત્યારથી લગભગ દર વર્ષે વસ્તી હરણફાળે વધતી જ જોવા મળે છે

અશિક્ષિત હોવાને કારણે તેઓ કુંટુંબ નિયોજન વિશે કોઇ માહિતી હોતી નથી. વસ્તી વધારો અને સાક્ષરતા એક સિક્કાની બે બાજું છે. છોકરાના પ્રમાણમાં આજે માત્ર 10 ટકા છોકરી શિક્ષિત છે આને કારણે વધતી વસ્તી આપણાં દેશ માટે રેડલાઇટ સમી છે. આને નાથવા માટે શિક્ષણનો વ્યાપ વધારવો અને પરિવાર નિયોજનનો પધ્ધતિ બહોળો પ્રચાર કરવો જરૂરી છે. આપણે જ ‘મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો ના મળે’ એવું બોલી એ ત્યારે તેની પાછળ રહેલા ગુઢ અર્થને સમજતાં નથી.

વિશ્ર્વની વસ્તી 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ થઇ જશે. આપણાં વિકાસમાં અવરોધ માત્ર વસ્તી સમસ્યાને કારણે આવે છે. હાલ દુનિયામાં વસ્તી મામલે ચીન પછી ભારત બીજા ક્રમે છે. ચીનની સરખામણીએ ભારતીય આર્થિક સ્થિતિ અને અન્ય પાસા નબળા હોવાથી આપણાં દેશમાં વસ્તી વધારો સૌથી મોટી સમસ્યા છે. આને નાથવા માટે લોકોનો સહકાર જરૂરી છે. દરેક નાગરિક પોતે સમજીને પોતાના પરિવારની વસ્તી નિયંત્રણ રાખે તે ઇચ્છનીય છે. ચીનમાં બે બાળકોનો કાયદો છે. આપણે ત્યાં લોકશાહીને કારણે તે શક્ય નથી. આજે પણ ભારતનાં લોકો છોકરા મોટા થઇને કુંટુંબની આર્થિક સ્થિતી સુધારશે એમ માનીને વધુ બાળકો પેદા કરે છે. છોકરી કરતાં છોકરાને મહત્વ આપતાં જ્યાં સુધી બાળક ન આવે ત્યાં સુધી સંતાનો પેદા કરે છે.

એક વાત આશારૂપ છે કે છેલ્લા દોઢ દાયકાથી ભારતની વસ્તી ધીમી પણ મક્કમ ગતીએ ઘટાડો થતો જોવા મળ્યો છે. ભારતમાં વસ્તી વૃધ્ધીનો દર 2000માં 1.86 હતો જે આજે ઘટીને 1.2 ટકા થયો છે. તેવી જ રીતે સાક્ષરતાના દરમાં પણ વધારો જોવા મળ્યો છે. દેશની પંચવર્ષીય વિવિધ યોજનામાં પણ આપણને આ સમસ્યાને કારણે ધાર્યા પરિણામ મળતા નથી. આવડી મોટી વસ્તીને ગુણવત્તાયુક્ત જીવન જીવવા-રહેવા માટે અપાતી સુખ સગવડો પહોંચી ન શકે તે સ્વાભાવિક છે. તમામને આરોગ્ય સેવા, શિક્ષણ, રોજગારી, મકાન જેવી પ્રારંભિક સુવિધામાં તકલીફો પડી રહી છે.

આજે વસ્તી વધારાની સમસ્યા તમામ સ્થળે આપણને અડચણો ઉભી કરે છે એટલે એના વિશે વાત કરવી જરૂરી બને છે. વસ્તી અને તેની આવશ્યક જીવન જરૂરીયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. દેશનાં કુદરતી સંશાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે. તેનાથી જ આર્થિક વિકાસ શક્ય છે. આજે એ જ નાશ થઇ જશે તો આગામી પેઢી માટે શું બાકી રહેશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. વસ્તીના વલણોની વાત કરીએ તો દેશની વસ્તીનું કદ, વસ્તીવૃધ્ધી દર, જન્મદર, મૃત્યુદર, શહેરીવસ્તી, ગ્રામીણ વસ્તી, સ્ત્રી-પુરૂષ પ્રમાણને લગતી આંકડાકિય મેળવીને તેનું અર્થઘટન કરવું તે છે.

વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણમાં મૃત્યુદરમાં થયેલ વધારો હતો. અનેકવાર પડતા દુષ્કાળ, વિવિધ રોગચાળા જેમાં કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા, કોરોના અને ઇન્ફ્લુંએન્જીના ઉંચા પ્રમાણને કારણે મૃત્યુદર ઉંચો રહેવા પામ્યો હતો. 1951માં ભારતના આયોજનનો આરંભ થયો હતો. દર એક હજારે પુરૂષની સામે સ્ત્રીની ઘટતી સંખ્યા પણ વિષમતા સર્જે છે. વસ્તી વધારો એ દરેક સમસ્યાની જનની છે.

વસ્તી વધારાના નકારાત્મક પાસાઓમાં અનાજની અછત, પર્યાવરણીય સમસ્યાઓ, બેરોજગારી, ગરીબી અને નિમ્ન જીવન ધોરણ, ફુગાવો, આરોગ્ય સમસ્યા, ઉચ્ચ સરેરાશ ઉત્પાદન ખર્ચ સાથે મર્યાદીત ઉત્પાદનને ગણી શકાય છે. આજે જ્યાં જાવ ત્યાં ભીડ જોવા મળે છે. જે તેનો સ્પષ્ટ સંકેત છે. પૃથ્વી પર માનવનું સર્જન થયું ત્યારથી લગભગ દર વર્ષે વસ્તી હરણફાળે વધતી જ જાય છે.

આજે દુનિયાની દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય !!

ભારતમાં હાલમાં અનેક સમસ્યાઓમાં ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર વિગેરે છે. લોકોને તમામ પ્રકારની સુવિધા પહોંચાડવામાં વસ્તી વધારો આડે આવે છે. બધાને રોટી, કપડાં, મકાન સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષિત પાણી જેવી મૂળભૂત સમસ્યામાં પણ વસ્તી વિસ્ફોટ નડે છે. 1947માં માત્ર 33 કરોડને 2018માં 135 કરોડની વસ્તી થઇ ગઇ. છેલ્લા 70 વર્ષમાં જ આપણી વસ્તી ચાર ગણી થઇ ગઇ છે. આજે તો દુનિયાની દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. ચીન આપણાં કરતાં માત્ર 7 કરોડ પોપ્યુલેશન વધારે ધરાવે છે. છેલ્લા બે દશકામાં ચીન કરતાં ભારતની વસ્તી વધી છે. આપણું એવરેજ આયુષ્ય પણ વધ્યું છે. દર 11 જુલાઇએ વિશ્ર્વ વસ્તી દિવસ ઉજવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.