Abtak Media Google News

માધવપુર ઘેડના હાઈવે ટચ નજીક આવેલ એક કેનાલમાં અજાણ્યા શખ્સની લાશ હોવાની જાણ માધવપુર ઘેડ ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઈ ભુવાને થતા જ તેવોએ તાત્કાલિક માધવપુર પોલીસ psi પરમારને જાણ કરતા માધવપુર ગ્રામ પંચાયત સરપંચ ભનુભાઈ ભુવા સહિત psi પરમાર તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

લાશ તરવૈયા મારફતે લાશને બહાર કાઢવામાં આવી હતી. લાશની ઓળખ માટે પૂછપરછ કરતા જાણવા મળેલ કે લાશ એક માનસિક બીમાર વ્યક્તિની છે. આ વિસ્તારમાં ઘણા સમયથી રહેતો હોય.તે વ્યક્તિ સુરેશ નામથી ઓળખાતો હતો. માધવપુર પીએસઆઇ દ્વારા લાશને માધવપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવવામાં આવેલ હતી. તેને પીએમ માટે જામનગર લઈ જવામાં આવશે. માધવપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.લાસ્સ્સ્સ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.