- પોરબંદર-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત
- સોમનાથથી દ્વારકા તરફ જતી કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાઈ
- 2ના મો*ત, 12 યાત્રાળુ ઘાયલ
રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર પોરબંદર-દ્વારકા હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. તેમજ કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં 2 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મો*ત નીપજ્યા છે, જ્યારે 12 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, બસ સોમનાથથી દ્વારકા જઇ રહી હતી. ત્યારે કુછડી ગામ પાસે ટર્ન મારતી વખતે રસ્તા પર બંધ પડેલી એક ટ્રક સાથે ધડકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં 2 યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃ*ત્યુ થયા હતા, જ્યારે 7 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તેમજ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા જતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રોડ પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પોરબંદર-દ્વારકા હાઈવે પર કર્ણાટકની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે લોકોના મો*ત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ થયા છે.સોમનાથથી દ્વારકા જઈ રહેલી કર્ણાટકની બસને દ્વારકા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.
બસમાં સવાર મુસાફરો પૈકી 2નાં મો*ત નીપજ્યાં છે, જ્યારે અન્ય 12 યાત્રાળુ ઘાયલ થયા છે. કારણ કે બસ રોકાયેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.