Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજય સરકારે પાંચ વર્ષ પુર્ણ થયાના અવસરે આજે  રાજયભરમાં અન્નોત્સવ  તરીકે ઉજવવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ ખાતે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતીમાં ગર્વમેન્ટ એમ્પ્લોય સ્ટોર, જામટાવર રોડ ખાતે પી.એમ.જી.કે.વાય યોજના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ સંવાદ કર્યા છે. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ તેમજ વધી રહેલા પ્રજાના ભરોસાના વખાણ કરી રૂપાણી સરકારની કામગીરીને બિરદાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા રંગીલા રાજકોટના પણ વખાણ કરતા કહ્યું હતું કે સૌ પ્રથમ હું ધારાસભ્ય રાજકોટમાં જ બન્યો હતો. રાજકોટના અનેક ઋણ મારી પર છે. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિકાસની નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. ગુજરાતે વિકાસ અને સાથે સાથે વિશ્વાસનો સિલસિલો યથાવત રાખ્યો છે. જે બીરદાવવા લાયક છે.

રંગીલા રાજકોટને પહેલા ટેન્કર દ્વારા પાણી પહોંચાડાતું અને હવે….

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં આજ રોજ યોજાયેલા અન્ન વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે અગાઉ રંગીલા રાજકોટને પાણી ટેન્કર દ્વારા પુરૂ પાડવામાં આવતું હતું. ઘરે-ઘરે ટેન્કર મારફત પાણી વિતરણ થતું હતું. પરંતુ હાલ સૌની યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચ્યું છે.

અમે અનાજ મેળવી સુખથી જમી શકીએ છીએ- લાભાર્થી મહિલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના કુલ 5 શહેરનોના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો છે. આ પાંચ શહેરોમાં મહેસાણા, દાહોદ, રાજકોટ, તાપી અને ગાંધીનગરનો સમાવેશ છે. જેમાંથી મહેસાણાના વડનગર તાલુકાના મજુર વર્ગીય નરસિંગભાઈ પ્રજાપતિ, જ્યારે દાહોદના વર્ષાબેન ભુરીયા, રાજકોટ શહેરના નયનાબેન જોશી, તાપીના ડોલવણ તાલુકાના જીતેન્દ્રભાઈ ચૌધરી તેમજ ગાંધીનગરના કલોલ તાલુકાના દિલીપભાઈ સુવાડીયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ સંવાદ કર્યો હતો. જેમાં રાજકોટના લાભાર્થી ગંગાસ્વરૂપ મહિલા નયનાબેન જોશીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજ મેળવી અમે સુખેથી જમી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ.

ત્યારબાદ કેબીનેટ મંત્રી ફળદુ અને મહાનુભાવોના હસ્તે વીનામુલ્યે રાશન કીટનું વિતરણ કરાયું હતું. કોરોના સંક્રમણને કારણે લોકડાઉનના સમયમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યુ ન રહે તે બાબતે સંવેદના દાખવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે પી.એમ.જી.કે.વાય યોજના અન્વયે વીનામુલ્યે રાશન આપવાની યોજના અમલી બનાવાઇ હતી.

ઉલ્લેનીય છે કે ચાલુ વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે મે અને જૂન -2021 માસ દરમિયાન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અંતર્ગત રેશનકાર્ડ ધારકોને રાહત દરે મળવાપાત્ર નિયમિત રાશન લાભ ઉપરાંત પ્રતિમાસ વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળી કુલ પાંચ કિલો અનાજના વધારાના રાશનનો લાભ વિના મૂલ્યે આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના 10 લાખ 60 હજાર લાભાર્થીઓને કુલ 3700 મે. ટન ઘઉં અને 1590 મે.ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જુલાઈ થી નવેમ્બર 2021 સુધી વધુ પાંચ માસ માટે આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના અંદાજિત બે લાખ 85 હજાર  કુટુંબોની અંદાજિત 12 લાખની જનસંખ્યાને રેગ્યુલર રાહત ભાવથી મળવાપાત્ર રાશન ઉપરાંત પ્રતિમાસ પાંચ કિલો, પ્રતિ વ્યક્તિ એમ વધારાના રાશનનો વિનામૂલ્યે લાભ મળનાર છે. જેનો આગામી તા.7મી ઓગષ્ટથી પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, અગ્રણી રાજુભાઇ ધ્રુવ સાથે કોર્પોરેશનના વિવિધ સમીતીઓના ચેરમેનઓ, કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.