Abtak Media Google News

રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ દ્રારા સાવચેતી અને બચાવ કામગીરી કરવામાં આવી હતી. વેરાવળના હિરણકાંઠા વિસ્તાર, ત્રિવેણી સંગમ, સોનારીયા અને મંડોર, સવની સહિતના ગામમાં એનડીઆરએફની ટીમ દ્રારા પુરની સ્થિતિમાં સાવચેત કરવા અને બચાવ કામગીરી માટે લોકોને વાકેફ કરાયા હતા. કુદરતી આફતના સમયે સૌ પ્રથમ બચાવ કામગીરી કરી માનવ જિંદગી કઈ રીતે બચાવવી તે માટે જરૂરી માહિતી આપી હતી. એનડીઆરએફના ૨૫ સભ્યોની ટીમ દ્રારા બચાવ કામગીરી માટે કાર્યરત છે. આ કામગીરીમાં મામલતદાર ચાંદેગરા સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.