Abtak Media Google News

દેવ ઉત્સવ મંડળ દ્વારા કીર્તન સંધ્યા

અબતક, રાજકોટ

સ્વામીનારાયણ સંપ્રદાયના અને શ્રીજીમહારાજના અતિ લાડીલા અંતવર્ય સ.મુ. પ્રેમાનંદ સ્વામીનું 167મી પુણ્યતિથિ શનિવાર તા. 4 ના રજો હોઇ તે નીમીતે રાત્રે 9 થી 11 દેવઉત્સવ મંડળ દ્વારા પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી રચિત પદોનું ગાન સ્વામીનારાયણ ધરાનાના ગાયકો સર્વ જયસુખભાઇ રાણપરા, ખુશાલ પાટડિયા, બીપીનભાઇ રાધનપુરા, પ્રવિણભાઇ જવેરી, ભરતભાઇ અંબાસણા, બિપીનભાઇ રાધનપુરા, પ્રવીણભાઇ ટાંક દ્વારા કરવામાં આવશે. આ કીર્તન સંઘ્યા સ્વામીનારાયણ (મુખ્ય) મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટના નૂતન સભા ગૃહમાં રાખવામાં આવેલ છે.

આ કીર્તન સંઘ્યામાં અતિથિ વિશેષ તરીકે પુજય હરિચરણ સ્વામી મંદિરના મહંત શા. સ્વામી રાધારમણદાસજી બાલાજી મિેંદરના મહંત કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તથા અન્ય સંતો પાર્ષદ તથા હરિભકતો ઉ5સ્થિત રહેશે.

આ કીર્તનસંઘ્યાના યશસ્વી યજમાનો સર્વ ગોવિંદભાઇ હંસરાજભાઇ અંબાસણા, કોન્ટ્રાકટર દાસજી શામજી ટાંક પરિવાર હ. પ્રદીપભાઇ ટાંક, ગં.સ્વ. સ્મિતાબેન ટાંક, હિતેષભાઇ વાગડીયા તથા વિજયભાઇ શુકલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.