Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે મહાત્મા મંદિરે પહોંચ્યા. આજે સવારે 10 કલાકે તેઓ  9મી ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત PM મોદી સવારે મહાત્મા મદિરે પહોંચ્યા ત્યારે તેઓએ વિવિધ દેશના નેતાઓ ને મળ્યા હતા અને ચર્ચા વિચારણા કરી હતી.

વડાપ્રધાન અત્યારે 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં 10 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાતની 9મી સમિટનું ઉદ્દઘાટન કરશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં અબજો રૂપિયાના રોકાણ અને લાખો બેરોજગારોને રોજગારી આપતા દાવા સાથે એમઓયુ કરાશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયુ થયા છે જ્યારે એક્ચુઅલ રોકાણનો સ્પષ્ટ આંકડો જાહેર કરવાનું સરકાર ટાળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.