Abtak Media Google News

રાજયના કુલ ૪૧ કર્મચારીઓની બઢતી સાથે બદલી કરતો પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

રાજયના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ગ-૩ના ૪૧ કર્મચારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ૧૯ કર્મચારીઓને ટીડીઓ તરીકે પ્રમોશન મળ્યું છે સાથે તેઓની અન્ય સ્થળે બદલીનો ઓર્ડર પણ કરવામાં આવ્યો છે.

બોટાદના બી.આર.મકવાણાને ભાવનગર, સુરેન્દ્રનગરના એસ.એચ.ભેસજાળીયાને માળીયા, સુરેન્દ્રનગરના સી.ડી.દોશીને નખત્રાણા, એચ.જી.વ્યાસને સોજીત્રા, બી.એન.રાવલને હળવદ, બી.સી.ઝાલાને કાંકરેજ, વાય.જે.મહેતાને ધંધુકા, વી.એચ.મકવાણાને લાઠી, રાજકોટના કે.વી.દવેને જામજોધપુર, જુનાગઢના વી.આર.સોલંકીને જેસર, ભાવનગરના એસ.એચ.રાઠોડને લીલીયા, એચ.બી.પરમારને અમદાવાદ, બી.એમ.વાઘેલાને જાફરાબાદ, વી.બી.ગોહિલને જસદણ, એસ.બી.જાડેજાને જુનાગઢ, પી.સી.પરમારને રાજકોટ, પોરબંદરના આર.ડી.ચાનપાને સુત્રાપાડા, મોરબીના બી.એચ.એરવાડીયાને દસાડા-પાટડી, રાજકોટના પી.જી.જાડેજાને જુનાગઢમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.