Abtak Media Google News

અબતક, નવી દિલ્હી : ભારે કચવાટ બાદ કેન્દ્રએ આયાતકારો માટે કઠોળની સ્ટોક મર્યાદા હટાવવાનો અને જથ્થાબંધ વેપારીઓ માટે વધારવાનો રાહત આપતો નિર્ણય લીધો છે. જો કે હવે ફક્ત તુવેર, અડદ, ચણા અને મસૂરની દાળ પર જ સ્ટોક લિમિટ્સ લાગુ રહેશે. આ નિર્ણયથી જથ્થાબંધ વેપારીઓ માટે 500 ટનની સ્ટોક લિમિટ રખાઇ છે. તેમા કોઈપણ એક વેરાયટીની મર્યાદા 200 ટનની રખાઈ છે. જ્યારે રિટેલરો માટે સ્ટોક લિમિટ્સ પાંચ ટન યથાવત રાખવામાં આવી છે.

કઠોળના ભાવ હળવા થતા કેન્દ્રએ લીધો રાહત આપતો નિર્ણય

હવે ફક્ત તુવેર, અડદ, ચણા અને મસૂરની દાળ પર જ 31 ઓક્ટોબર સુધી સ્ટોક લિમિટ્સ લાગુ રહેશે

જથ્થાબંધ વેપારીઓ માટે 500 ટનની સ્ટોક લિમિટ રખાઇ, તેમા કોઈપણ એક વેરાયટીની મર્યાદા 200 ટનની :  રિટેલરો માટે સ્ટોક લિમિટ્સ પાંચ ટન યથાવત

કેન્દ્રએ કઠોળના આયાતકારો પરથી સ્ટોક લિમિટ્સ દૂર કરી છે અને મિલરો તથા જથ્થાબંધ વેપારીઓને પણ તેના નિયમોમાં રાહત આપી છે. દેશમાં કઠોળના ભાવ હળવા થવાના પગલે કેન્દ્રએ આ પગલું લીધું છે. આમ હવે સ્ટોક લિમિટ્સ તુવેર, અડદ, ચણા અને મસૂર પર જ ૩૧ ઓક્ટોબર સુધી લાગેલી રહેશે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મિલરો અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક લિમિટ્સ હળવી કરી છે. ભાવ હળવો થવાના પગલે આયાતકારોને પણ સ્ટોક લિમિટ્સમાં રાહત અપાઈ છે. સરકારે રાજ્યો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ મેળવીને તેના આધારે આ નિર્ણય લેવાયો છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ કઠોળને સ્ટોક લિમિટ્સમાં રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેની સાથે ગ્રાહક બાબતોના મંત્રાલયના પોર્ટલ પર કઠોળનો જથ્થો જાહેર કરવાનું જારી રાખવામાં આવશે. જથ્થાબંધ વેપારીઓ માટે આ સ્ટોક લિમિટે ૫૦૦ ટનની છે. તેમા કોઈપણ એક વેરાયટી કે જાતનો જથ્થો ૨૦૦ ટનથી વધારે ન હોવો જોઈએ. રિટેલરો માટે સ્ટોક લિમિટ્સ પાંચ ટન યથાવત્ જ રાખવામાં આવી છે.

મિલરો માટે આ મર્યાદા છ મહિનાના સરેરાશ ઉત્પાદનના ૫૦ ટકા રખાઈ છે. મિલરોને આપવામાં આવેલી રાહતનો સરકારને પણ ફાયદોમળશે. તેના લીધે ખેડૂતોને સારી એવી આવક મળી શકશે. આયાતકારો,મિલરાએ ગ્રાહક મંત્રાલય સમક્ષ ડિસેમ્બર સુધીમાં કઠોળનો જથ્થો જાહેર કરી શકે.

હોલસેલરો માટે આ સ્ટોક લિમિટે ૫૦૦ ટન હશે. તેમા કોઈપણ એક વેરાયટીના ૨૦૦ ટનથી વધારે જથ્થો નહી રાખી શકાય. મિલરો માટે આ લિમિટ તેમના છ મહિનાના ઉત્પાદન જેટલી અથવા તો વાર્ષિક સ્થાપિત ક્ષમતાના ૫૦ ટકા બંનેમાંથી જે વધારે હશે તે હશે.જો કે રાહત મેળવનારા એકમોએ ગ્રાહક વિભાગના વેબ પોર્ટલ પર તેમની પાસેના જથ્થાની જાહેરાત કરવી પડશે, એમ તેણે ઉમેર્યુ હતું. ફૂડ અને કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર પિયુષ ગોયલે ટવીટ કર્યું હતું કે કઠોળ અને આવશ્યક ચીજવસ્તુના ભાવ અંકુશમાં રાખવાના ભાગરૂપે નરેન્દ્ર મોદી સરકારે જથ્થાબંધ વેપારીઓ, મિલરો અને આયાતકારોને સ્ટોક લિમિટ્સમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.

પુરવઠા વિભાગની લગાતાર દરોડાની કાર્યવાહીથી વેપારીઓ- આયાતકારોમાં સર્જાયો હતો કચવાટ

કેન્દ્ર સરકારે તા.2 જુલાઈ 2021ના આદેશ તેમજ ગુજરાત સરકારના આવશ્યક ચીજવસ્તુ( લાયસન્સ, સ્ટોક અને નિયંત્રણ) સુધારા આદેશ- 2021 અન્વયે કઠોળ ( મગ સિવાય)ની જણસીમાં તા.31/10/2021 સુધી સ્ટોક મર્યાદા લાગુ પાડવામ આવી હતી. જેને ધ્યાને લઈને રાજ્યભરમાં પુરવઠા વિભાગે લગાતાર દરોડાનો દૌર ચલાવ્યો હતો. જેમાં અનેક વેપારીઓ સ્ટોક મર્યાદાથી વધુ સ્ટોક રાખીને બેઠા હોવાનું ધ્યાને આવતું હતું. કેન્દ્રના આ નિર્ણયથી દરોડા પડતા હોય વેપારીઓ અને આયાતકારોમાં ભારે કચવાટ ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.