Abtak Media Google News

બે ટ્રેન સઁપૂર્ણ  રદ અને આઠ ટ્રેન આંશીક રીતે રદ

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા મૂળી રોડ-રામપરડા-વગડિયા સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે તાત્કાલિક અસરથી 19 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ડબલ ટ્રેકના કારણે આજથી  વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ  18.10.2022 સુધી જયારે  જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 13.10. થી 19.10.2022 સુધી રદ રહેશે.

જયારે  ભાવનગર-ઓખા એક્સપ્રેસ 17મી સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઓખા – ભાવનગર એક્સપ્રેસ  18મી સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે.  આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ  17મી સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે.  આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ  18મી સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે.  આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ  18મી સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે.  આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ  18મી સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ 13, 15 અને 17 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 14, 16 અને 18 ઓકટોબરના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.