Abtak Media Google News

રેલવે ડીઆરએમ અનિલકુમાર જૈન અને નિરજનભાઇ શાહના હસ્તે ઉદઘાટન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરુપે રાજકોટ રેલવે સ્ટોર્પસ એસો. (આરડીએસએ) દ્વારા સૌરાષ્ટ્રની રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી સ્વ. નૈષધ બક્ષીની યાદીમાં રવિવારથી 8 ટીમ વચ્ચે ટી-ર0 ક્રિકેટ ઇન્વીટેશન ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે.

ટુર્નામેન્ટનું ઉદઘાટન રાજકોટ રેલવે ડીઆરએમ અનિલકુમાર જૈનના હસ્તે થયું હતું. આ તકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહ, વર્તમાન પ્રમુખ જયદેવ શાહ, સેક્રેટરી  હિમાંશુ શાહ, રાજકોટ રેલવેના સ્પોર્ટસ સેક્રેટરી અને ડીવીઝનલ કોર્મશિયલ મેનેજર અનિભવ જૈફ, ડિવીઝનલ મઝદુર સંઘ સેક્રેટરી હિરેન મહેતા, પૂર્વ રણજી ટ્રોફી સુકાની  મહેન્દ્ર રાજદેવ, ભુપતભાઇ તલાટીયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડીઆરએમ અનિલકુમાર જૈને જણાવ્યું હતું ક રેલવે તમામ પ્રકારના ખેલને પ્રોત્સાહન આપવા તૈયાર છે.

ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે રેલવે દરેક પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં યોગદાન આપશે. જયારે નિરંજન શાહે આ તકે જુના ક્રિકેટર નૈષધ બક્ષીને યાદ કરીને જણાવ્યું હતું કે તેઓ તેમના સમયના અદભૂત આક્રમક બેટધર હતા. તેમની પાસે આતશી બેટીંગની શાનદાર ટેકનીક હતી. તેમની યામાં રમાતી ટી-ર0 ટુર્નામેનટ યુવા ખેલાડીઓને સારા ક્રિકેટર બનવાની પ્રેરણા આપશે.

ટુર્નામેન્ટના પ્રારંભિક મેચમાં રેલવે બી ટીમ સામે વેરાવળની ટીમનો 1ર રને વિજય થયો હતો. ટુર્નામેન્ટનો સેમી ફાઇનલ અને ફાઇનલ મુકાબલો તા. પ ડીસેમ્બરે રેલવે કોઠી કમ્પાઉન્ડ મેદાનમાં રમાશે. ટુર્નામેન્ટની સફળતા માટે પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી હર્ષદ જોશી, સેન્ડીલ નાટકણ, અતુલ કારીયા, સુધી તન્ના, દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતીક મહેતા, ફિરોઝ બાંભણીયા, ભરત બુંદેલા, રાજુ રાઠોડ, નિલેશ વાઘેલા અને ચંદ્રસિંહ જાડેજા સહીતના પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ઉપરાંત પસંદગીકારો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.