Abtak Media Google News

ભાવનગર, વડોદરા, આણંદ અને વલસાડના વાપી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ: મેઘરાજાના પુન: આગમનને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા

ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે  દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં સમાન્ય વરસાદ પડ્યો છે. વડોદરા, આણંદ અને વલસાડના વાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ આગામી 2થી3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર,  વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે.  9 ઓક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે.  કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે આગામી   2થી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે. જેના લીધે ખેતરમાં ઊભા મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે. મેઘરાજાના પુન: આગમન પગલે ચિંતામાં મુકાયા છે.વાતાવરણમાં અચાનક પલટો આવતા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પ્રધાનમંત્રીના આગમનની ચાલતી તૈયારી ઉપર વરસાદ વિઘ્નરૂપ બન્યો છે.સભા સ્થળે પાણી ભરાતા  કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઇ ગયું. આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયું છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો હળવો વરસાદ પડ્યો હતો.

બપોર બાદ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  રાજપીપળા, કેવડિયા સહિત તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. વરસાદ નવસારીમાં પણ આફતરૂપ બન્યો અહીં  નવસારી શહેરમાં ફરી ભુવા રાજ  જોવામળ્યું. થોડા વરસાદે સ્ટેશનથી જલાલપોર જતા માર્ગ પર ભૂવો પડી જતાં ભવાની માતાના મંદિર પાસે એક કાર ફસાઇ ગઇ હતી. . ભારે જહેમત બાદ કારને ભૂવા માંથી બહાર કાઢવામાં આવી હતી.પાછોતરા વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.  મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો છે.  વીઘા દીઠ 20થી 22 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસ વાવ્યું હતું પરંતુ વરસાદના કારણે કપાસ પીળુ પડી  જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ છે.

આવી જ સ્થિતિ મહીસાગર જિલ્લામાં સર્જાઈ છે.  અહીં મોટી માત્રામાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતો ખુશ હતા. પરંતુ ગઈકાલે રાત્રે  ભારે પવન સાથે બાલાસિનોરમાં બે ઈંચ  જ્યારે લુણાવાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ડાંગરનો પાક પલળી ગયો હતો. આ આણંદ જિલ્લાના ખેતરો તળાવમાં ફેરવાયા છે.  કપાસ અને તમાકુનો ઉભો પાક પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

આંધ્રપ્રદેશ પર સક્રિય થયેલા સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં

વધુમાં વરસાદની આગાહીને લઇને તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.