Abtak Media Google News

રાષ્ટ્રીયકૃત બેંક બેંક ઓફ બરોડાને ભારત સરકારની રાજભાષા કિર્તી પુરસ્કાર યોજના અંતર્ગત કેન્દ્રના સહકાર મંત્રી અમીતભાઈ શાહના હસ્તે વર્ષ 2021-22 અંતર્ગત રાજભાષા કિર્તી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ‘ખ’ ભાષીક ક્ષેત્ર અંતર્ગત દ્વિતિય પુરસ્કાર પણ એનાયત થયો હતો. સુરત ખાતે તા.15 સપ્ટે. યોજાયેલ હિન્દી દિવસ સમારોહમાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય, અજયકુમાર મીશ્રા, બેંક ઓફ બરોડાના કાર્યપાલક નિર્દેષક અજય ખુરાના દિનેશ પંથ, ઉપસ્થિત રહ્યા હતા. હિન્દી દિવસ અંતર્ગત ઈન્ટરનેટ બેંકીંગ, વ્હોટએપ બેંકીંગ સેવા બોમ્બ વર્લ્ડના  માધ્યમથી શરૂ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.