રાજકોટમા ગાંધી જયંતિને લઇ 150 વિદ્યાર્થીઓ ગાંધીજી બન્યા હતા. શાળા નંબર 93ના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિના આગલા દિવસે અનોખી ઉજવણી કરી હતી. ગાંધી બની ભારતનો નકશો બનાવ્યો હતો અને ગાંધીજીની રાહ પર ચાલવાની અપીલ કરી હતી. 150મી જયંતિ હોવાથી 150 વિદ્યાર્થીઓ પોતડી, લાકડી અને ચશ્મા પહેરી ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી અને ગાંધી બન્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ભારતના નકશાના આકારમાં ઉભા રહી ભારત દેશનો નકશો બનાવ્યો હતો અને એક ભારત અને ભારતમા એકતાનો સંદેશો પાઠવ્યો હતો.ગાંધીજીના આદર્શો, સિદ્ધાંતો પર ચાલીને મુશ્કેલી દૂર કરો, દરેક સમસ્યાનું સમાધાન ગાંધી માર્ગે ચાલવાથી મળે તેવો સંદેશો પાઠવ્યો હતો.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!