Abtak Media Google News

રાજકોટમાં રહેતી 14 વર્ષની તરુણીનું લગ્નની લાલચે અપહરણ કરી તેના પર અવાર નવાર દુષ્કર્મ આચરનાર નરાધમ સામે પોલીસે ફરિયાદ નોધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

સમજણના અભાવે તરૂણવયની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના બનાવો શહેરમાં વધી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં માત્ર 14 વર્ષની તરુણીને ભગાડી જનારે દુષ્કર્મ આચરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જેમાંભાવનગર હાઇવે વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પ્રોઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 14 વર્ષની પુત્રી ગત તા.6ની સાંજે ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત નહિ આવતા શોધખોળ કરી હતી. તેમ છતાં પુત્રીની ભાળ નહિ મળી ન હતી. ત્યારે પુત્રીને કિશન કુંવરજી જાખેલિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની માહિતી મળતાં આજી ડેમ પોલીસમાં જાણ કરી હતી. જાણ થતાની સાથે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ કે.જે. કરપડા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન પોલીસે બાતમી આધારે તરુણીને ભગાડી બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.