Abtak Media Google News

સાતમ-આઠમના તહેવાર પહેલા રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેયર ડો.પ્રદિપ ડવને આપ્યું વચન

ચાલુ સાલ વરસાદ ખેંચાવાના કારણે શહેરની જળ જરૂરીયાત સંતોષતા એક પણ જળાશયમાં પાણીની સંતોષકારક આવક થવા પામી નથી. આગામી સપ્ટેમ્બર માસના મધ્ય ભાગમાં આજી ડેમ ડુકી જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. ન્યારી અને ભાદરમાં હજુ નવેમ્બર સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. દરમિયાન રાજકોટવાસીઓને 20 મિનિટ પાણી આપી શકાય તે માટે આજી અને ન્યારીમાં સૌની યોજના અંતર્ગત 335 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા જળાશયોની વર્તમાન સ્થિતિ અંગે મેયર ડો.પ્રદિપ ડવે ટેલીફોનિક વાતચીતમાં મુખ્યમંત્રીને વાકેફ ર્ક્યા હતા.

દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાતમ-આઠમના તહેવાર પહેલા રાજકોટને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આપવાનું શરૂ કરી દેવાશે તેવી પાણીદાર ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, હાલ આજી-1 ડેમમાં 256 એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. દૈનિક 125 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. આજીમાં 15 સપ્ટેમ્બર ચાલે તેટલું જ્યારે ન્યારી ડેમમાં 579 એમસીએફટી પાણી છે. અહીંથી રોજ 60 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. ન્યારી 15 નવેમ્બર સુધી સાથ આપે તેવી સંભાવના દેખાઈ રહી છે જ્યારે ભાદરમાં 1473 એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે.જ ેમાંથી રાજકોટને દૈનિક 40 એમએલડી પાણી મળે છે.

જો સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવે તો ભાદર ડેમ 30 નવેમ્બર સુધી સાથ આપશે. રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત રાજકોટને 335 એમસીએફટી પાણીફાળવવાની માંગણીક રી છે. આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રીએ ઓગસ્ટ માસના અંત સુધીમાં રાજકોટને નર્મદાના નીર ફાળવી દેવામાં આવશે તેવી ખાતરી આપી છે.

આ સંદર્ભે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ વરસાદ ખેંચાવાની સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હતી જેમાં જુલાઈ માસમાં આજી ડેમમાં 148 એમસીએફટી અને ન્યારી ડેમમાં 92 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું હતું. ત્યારબાદ વરસાદ થવાના કારણે ડેમમાં પાણીની આવક થતાં નર્મદાના નીર બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે વધુ 335 એમસીએફટી પાણી માગવામાં આવ્યું છે. આ સંદર્ભે ગઈકાલે સિંચાઈ વિભાગના સચીવ સાથે વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટને જરૂરીયાત ઉભી થશે ત્યારે 48 કલાકમાં નર્મદાના નીર પુરા પાડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. રાજકોટવાસીઓએ પાણી માટે કોઈ હાડમારી વેઠવી પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.