Abtak Media Google News

મૂળ કિંમતના ૧૦ ટકામાં જ વેંચાશે મેગેઝિન:કાલથી ૧૯મી સુધી વેંચાણ

કોર્પોરેશન સંચાલિત શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં. ૧ અને ૨ તથા દતોપંત ઠેગડી પુસ્તકાલય તથા મહિલા વાંચનાલય નાનામવા એક્ટીવીટી સેન્ટર તથા આંબેડકર ભવન પુસ્તકાલય તથા બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીના સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મૂળ કિમતના દશ ટકા ભાવથી આવતીકાલથી ૧૯ જૂન સુધી વેંચાણ કરવામાં આવશે.

 

લાભ લેવા ઇચ્છતા સભ્યોને સોમવાર થી શુક્રવાર સવારે ૧૧ વાગ્યા થી સાંજના ૫ વાગ્યા સુધીમાં શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, ૩૪ પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ તથા દતોપંત પુસ્તકાલય, શ્રોફ રોડ તથા બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, પેરેડાઈઝ હોલ સામે, ખાતેથી મળી શકશે. જે સભ્યોએ લાભ લેવા અપીલ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.