Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ-1 ના 991 આવાસોની ફોર્મ ભરવાની તથા પરત આપવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી છે. આવાસ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેમજ ઓફલાઇન પણ મળી શકશે. 991 આવાસોની સામે 2539 નાગરિકોએ ફોર્મ જમા કરાવી આપેલ છે.

2539 ફોર્મ ભરાઇને પરત પણ આવી ગયા

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી અને વાવડી વિસ્તારમાં આવેલ ઇડબલ્યુએસ-1 ના પૈકી બાકી રહેલ 991 આવાસોની બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તા.04 થી ફોર્મ આપવાનું શરૂ કરેલ. આવાસના ફોર્મ આપવા તથા ભરીને પરત આપવાની છેલ્લી તા.31  સુધીનો સમય રાખવામાં આવેલ છે.

વિશેષમાં આ ફોર્મ મેળવવા શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને પરત આપી શકાશે.

હાલ 9439 શહેરીજનોએ ફોર્મ મેળવેલ છે. જે પૈકી 2539 શહેરીજનોએ આવાસના ફોર્મ ભરી જમા કરાવેલ છે. જેમાં 70 લોકોએ ઓનલાઈન ફોર્મ ભરેલ છે.

આવાસની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ.3000 ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત 30.00 ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ,  એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી બપોરના 03:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી બપોરે 02:30 વાગ્યા સુધીનો રહેશે.

નોંધ:- ફોર્મ લેવા માટે અરજદારે આધાર કાર્ડ સાથે રાખવું ઇચ્છનીય છે. ઓફલાઇન ફોર્મ  રૂ.100 રહેશે. જ્યારે ઓનલાઈન ફોર્મ રૂ.50 રહેશે. ઓનલાઈન ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ. ળિભ.લજ્ઞદ.શક્ષ પર ભરી શકાશે. આગામી દિવસોમાં આવાસોનો ડ્રો કોમ્પ્યુટરાઈઝથી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.