Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ-૧૭

વોર્ડ નંબર ૧૭માં જનપથ જેવો માર્ગ બને તેવી પ્રજાની અપેક્ષા: દર્શન ગોસ્વામી (શિવયાત્રા સમિતિ)

Chagan

વોર્ડ નંબર ૧૭ માં રહેતા દર્શનભાઈ ગોસ્વામી કે જે શિવયાત્રા સમિતિના એક સક્રિય સભ્ય છે અને તેમનુ કેહવુ છે કે, વોર્ડ નંબર ૧૭ ની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા છે જેનો ઉકેલ હજી સુધી લાવવામાં આવ્યો નથી. તેમને એવા નગરસેવક જોઈએ છે કે જે સતત પ્રજાની વચ્ચે રહે અને પ્રજાના પ્રશ્નો નો ઉકેલ લાવે, લોકોની સુવિધાની જરૂર હોય તે પણ ઉપલબ્ધ કરાવી આપે, અને જે તે કોર્પોરેટર ચુંટાઈ તે જાગૃત હોવા જોઈએ. તેમનું કહેવું છે કે છેલ્લા દાયકામાં કોંગ્રેસના કોર્પોરેટરે ઘણા સારા કામ કર્યા છે અને એમાં ડામરના રોડ નું કામકાજ મુખ્ય રહ્યું છે. આગામી વર્ષોમાં તેમને એવી માંગ છે કે જેમ કાલાવડ રોડ ને જનપથ માર્ગ  કહેવામાં આવ્યો છે તેમ વોર્ડ નંબર ૧૭માં પણ એવા જ વિકાસના કાર્યો થાય. તેમનું કહેવું છે કે પ્રજા માટે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તે અમુક વિસ્તારમાં જ થયા છે, તેમને લાગે છે તે તંત્ર દ્વારા વિકાસના કામોમાં વિભાગ રાખવામાં આવ્યા છે અમુક વિસ્તારમાં ખૂબ પ્રગતિ થાય છે અને વોર્ડ નંબર ૧૭ જેવા ઘણા બધા વિસ્તારોમાં પ્રગતિના કામ અટકી ગયા છે. તેઓ પૂરેપૂરી રીતે તંત્રના કામોથી અસંતુષ્ટ છે.

સતાધારી પક્ષના ભેદભાવને કારણે વોર્ડની પરિસ્થિતિ નબળી: દામજીભાઇ રૂપાપરા (ખોડલધામ ટ્રસ્ટ)

Chandresh

વોર્ડ નંબર ૧૭ ના રહેવાસી અને ખોડલ ધામ ટ્રસ્ટના કનવિનર દામજીભાઈ રૂપાપરાનું  કહેવું છે કે કોર્પોરેટર એવા હોવા જોઈ કે લોકોના કામ માટે સતત જાગૃત રહે. છેલ્લા દાયકાની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારના સત્તાધારી પક્ષ એ કામ બાબતે  વિદ્રોહ રાખ્યો છે. આગામી સમયમાં

વોર્ડની રચના આખી અલગ રહેવી જોઈએ. લોકોના   કામ પુરા કરી શકે તેવા  કોર્પોરેટર હોવા જોઈએ. નગરસેવકો જનતા સાથે સંપર્કમાં રહે છે પણ કામગીરીમાં   સતાધારી પક્ષ ભેદભાવ રાખે છે. આ વિસ્તારમાં  પાણીની સમસ્યા  ખુબ રહે  છે તથા સફાઈ પણ વ્યવસ્થિત રીતે થતી નથી. વોર્ડ નંબર ૧૭ ના રહેવાસી ચંદ્રેશભાઇ મારું કે જે કડિયા સમાજ ના અગ્રણી છે અને તેમનું કહેવું છે કે, આગામી ચૂંટણીમાં એવા નગરસેવક  જોઈએ કે જે હરહંમેશ જનતાની સેવા માટે તત્પર રહે અને જનતાને બધી મુશ્કેલીઓનો હલ લાવે. આવતા દિવસમાં કોર્પોરેટર પાસેથી તેમને એવી અપેક્ષા છે કે જનતાની હર પ્રકારમાં તેઓ સેવા કરે. અને તેમનું એવું પણ કહેવું છે કે વોર્ડમાં તંત્રનો સંપર્ક જરાય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.