Abtak Media Google News

કોવિડ-19 ની બીજી લહેરના સમયે રાજકોટની જનતાને પંચનાથ હોસ્પિટલએ અભૂતપૂર્વ સેવા પુરી પાડી હતી. અનેક ગરીબ દર્દીઓને કોવિડ-19ના સમયમાં વિનામૂલ્યે પંચનાથ હોસ્પિટલએ પોતાની સેવા આપી હતી. તદ્ઉપરાંત આર્થિક રાહત પણ ઘણા દર્દીઓને કરી આપેલ જેનો દવા અને મેડીકલનો ખર્ચ પણ પંચનાથ ટ્રસ્ટે ભોગવેલ. એટલુ જ નહી દરેક દર્દીને બે ટાઈમ ભોજન, બે ટાઈમ ચા નાસ્તો એક ટાઈમ જ્યુસ/નાળીયેલ પાણી લીમ્બુ સરબત, હળદરવાળુ દૂધ વગેરે પંચનાથ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આપવામા આવેલ કોવિડ-19ની બીજી લહેરના સમયે અનેક દર્દીઓનો સીટી સ્કેનનો સ્કોર 20 થી 25 જેવો હતો તેમને એડમીટ કરી સારવાર કરી મહાદેવની કૃપાથી આ પ્રકારના દર્દીઓને પુન:સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં હોસ્પિટલની ડોકટરની ટીમને સફળતા મળી છે.

Untitled 1 8

તા.1 જૂનથી પંચનાથ હોસ્પિટલએ કોવિડ-19ની હોસ્પિટલની સેવાઓને વિરામ આપેલ છે. અને તે દિવસથી ફરીથી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની તમામ સેવાઓ રાજકોટમાં સૌથી રાહત દરે કાર્યરત કરેલ છે. હાલમાં ત્રણેય ઓપરેશન થીયેટર પણ કાર્યરત થઈ ગયેલ છે. અને અત્યાર સુધીમાં 22 જેટલી જુદી-જુદી પ્રકારની સર્જરીઓ પણ સફળતાપૂર્વક પુર્ણ કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે માત્ર 50 રૂપિયા માં જુદી-જુદી ફેકલ્ટીના ડોક્ટરો દ્વારા નિદાન કરી આપવામાં આવે છે. જ્યારે જનરલ ડોકટર તો માત્ર 10 રૂપિયામાં નિદાન કરે અને ટ્રસ્ટ ત્રણ દિવસની દવા પણ વિનામૂલ્યે આપે.

તબીબો ડો.ગૌરાંગ પટેલ (એમ.ડી. મેડીસીન) સોમ થી શનિ  10 થી 1 અને  5 થી 7,  ડો. દિપલબેન સોલંકી (ગાયનેક) સોમથી શનિ સુધી  11:00થી 12:30 તેમજ મંગળ, બુધ, શુક્ર સાંજે 4:00 થી 5:30, ડો.કેલવીન વૈષ્નાણી (ઓર્થોપેડીક સર્જન) સોમથી શનિ 9:00 થી 10:00 તેમજ 4:00થી 6:00, ડો. જોલીકા વાછાણી (ચામડીના રોગોના નિષ્ણાંત) સોમ થી શનિ 9:00 થી 11:00, ડો.મૌલીક શિણોજીયા (ચામડીના રોગોના નિષ્ણાંત) સોમ થી શુક્ર 3:00 થી 4:30, ડો. કિરીટ ધોળકીયા (એમ.બી.બી.એસ.) સોમ થી શનિ  9:30 થી 11:30 તેમજ 4:00 થી 6:00, ડો.મુકુંદ વિરપરીયા (પેટઆંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત) બુધ અને શનિવારે સાંજે 4:00 થી 5:00, ડો.મહિપાલ ચૌહાણ (બાળરોગ નિષ્ણાંત) સોમવાર અને બુધવાર સવારે 9:00 થી 10:00, ડો. ઇશિતા શાહ (સંધિવાના નિષ્ણાંત) શનિવાર સવારે 9:00થી 10:30, ડો. ડેનીશ રોજીવાડીયા (હ્રદય રોગના નિષ્ણાંત) સોમ,મંગળ, ગુરૂ, સવારે 10:00 થી 12:00, ડો.નીલ વાછાણી (બાળરોગ નિષ્ણાંત) સોમ થી શનિ સાંજે 4:00 થી 5:00, ડો.જુહી મણીયાર (કાન, નાક ગળાના રોગોના નિષ્ણાત) સોમ થી શનિ 9:30 થી 11:30 તેમજ  4:30 થી 6:30, ડો.કૃણાલ કુંદડીયા (યુરોલોજીસ્ટ) મંગળ, બુધ, ગુરૂ સાંજે 4:00 થી 5:00, ડો.વિરલ વસાવડા (જનરલ અને લેપ઼ોસકોપી સર્જન) શનિવારે  સવારે 9 થી 10 સોમ, બુધ, ગુરૂ સાંજે 4 થી 5, ડો હાદઁ વસાવડા (ન્યુરો સર્જન) સોમવારે 9:00 થી 10:30, ડો.નિધીકુમાર પટેલ (ન્યુરો સર્જન) મંગળ, બુધ, ગુરૂ  4:30 થી  5:30, ડો.જીગરસિંહ જાડેજા (ન્યુરો સર્જન) શુક્રવારે સાંજે 4:00 થી 5:30, ડો.કૌમિલ કોઠારી (ન્યુરો ફીઝીશીયન) મંગળવારે સવારે 9:00 થી 11:00, ડો. હિમાંશુ પરમાર (સપાઇન સર્જન) સોમ, બુધ, સાંજે 6 થી 7, ડો.મનદિપ ટીલાળા (હ્રદય રોગના નિષ્ણાંત) બુધ, શુક્ર સાંજે 3 થી 5, ડો. મિલન રોકડ (માનસિક રોગના નિષ્ણાંત) દર બુધવારે બપોરે 12 થી 1:30, ડો. પ્રતિક અમલાણી (યુરોલોજીસ્ટ) સોમ, શુક્ર સાંજે 4:00 થી 5:00 નિયમિત રીતે મળી શકશે.

Untitled 11 2

ડાયેગ્નોસ્ટીક વિભાગની વાત કરીએ તો લેબોરેટરી, સોનોગ્રાફી, સીટી સ્કેન, એક્સ-રે,ઇસીજી,ઇકોકાર્ડિયો, ટીએનટી વગેરે પણ 1લી જૂન થી ફૂલ ટાઈમ કાર્યરત થઈ ગયેલ છે. રાજકોટની જનતાના લાભાર્થે આ ડાયગ્નોસ્ટીક વિભાગ ખૂબ જ રાહત દરે ચલાવવામા આવે છે.

પંચનાથ હોસ્પિટલ 21 જાન્યુઆરી 2021ના રોજ લોકો માટે ખુલ્લી મુકવામા આવેલ ત્યારથી અત્યાર સુધીમાં કોવિડ-19 સિવાયના 99 દર્દીઓ આ આઇપીડી વિભાગમાં એડમીટ થઇને સારવાર લીધેલ છે. જ્યારે ત્રણેય ઓપરેશન થીયેટરમા 134 મળીને અત્યાર સુધીમાં કુલ 233 સર્જરી, જેમા ઓર્થોપેડીક, કાન નાકની સર્જરી તેમજ જનરલ સર્જરી જેવી કે કપાસી, હરસ, મસા, ભગંદર, મોતીયાની રીપ્લેસમેન્ટ ગોળો, પ્લેટ વગેરેનો સમાવેશ થાય છે.

દર્દીઓને ખરા અર્થમાં રાહતદરે સારવાર આપવા માટે નમ્ર પ્રયાસ કરનાર પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઇ માંકડ, ટ્રસ્ટીઓ વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, મયૂરભાઇ શાહ, નિરજભાઇ, ડી વી મહેતા, અનિલભાઈ દેસાઈ, ડો. રવીરાજ ગુજરાતી, સંદિપભાઈ ડોડિયા, જૈમિનભાઈ જોષી, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઇ પટેલ જેવા સેવાભાવી ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ મોબાઈલ નંબર (9879570878) ઓપીડી વિભાગ માટે બીનાબેન છાંયા (9574000818) એડમીટ થવા માટે ધૃતીબેન ધડુકનો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.