Abtak Media Google News

માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહૂર્ત અને વોર્ડ નં.૧૫માં બાયો મીથેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્માણ પામનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયાના તા ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના તેમજ વોર્ડ નં.૧૫માં સેન્ટ્રલ સ્ટોર ખાતે નિર્માણ પામેલ બાયોમિેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ મેયર ડો. જૈમન ઉપાધ્યાયના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાબીયાબેન સરવૈયા, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, નગર પ્રામિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડીયા, સેનીટેશન સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, કોર્પોરેટર ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા, મકબુલ દાઉદાણી, અશ્વિનભાઈ મોલીયા,મનીષભાઈ રાડીયા,અજયભાઈ પરમાર,પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, ઉપસ્તિ રહ્યા હતા.

આ પ્રસંગે ઉદબોધન કરતા મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યુ હતુ કે, માધાપર ખાતે રૂ.૪૫.૭૫ કરોડના ખર્ચે અદ્યતન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી, ગંદા પાણીની સમસ્યામાંી શહેરને મુક્ત કરશે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાએ ૭૬% વિસ્તારને ભૂગર્ભ હેઠળ આવરી લીધેલ છે. આગામી ૨૦૧૮માં ૯૬% વિસ્તારને આવરી લેવાનો સંકલ્પ છે. સેનિટેશન કમિટીના ચેરમેન આશિષભાઈ વાગડીયાના  નેતૃત્વ હેઠળ સોલિડ વેસ્ટ વિભાગની કામગીરીી રાજકોટ શહેરનો સ્વચ્છતામાં ૭મો ક્રમ આવેલ છે. તેમજ આરોગ્ય કમિટીના ચેરમેન મનીષભાઈ રાડીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ગરીબ વર્ગના લોકોને નિ:શુલ્ક આરોગ્યવિષયક સેવાઓ મળી રહે તે માટે મીની હોસ્પિટલ જેવા અનેક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. અને તમામ પ્રકારની રસીઓ પ્રાપ્ય છે તેમજ રોગો અંગેના પરીક્ષણો કરવામાં આવે છે. તેવી જ રીતે નગર પ્રામિક શિક્ષણ સમિતિ હેઠળ, બાળકોની પ્રગતિ ાય તે રીતે સ્કૂલો કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર પણ શહેરો અને નગરોના વિકાસ માટે આઝાદી પછી રૂ.૧૧૮૦૦ કરોડની માતબર રકમનું બજેટ ફાળવેલ છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સા,સૌનો વિકાસ એ સૂત્ર હેઠળ છેવાડાના માનવીની ચિંતા કરી, અનેક નિર્ણયો કરી, તાજેતરમાં દેશના ગરીબ વર્ગના લોકોને ફ્રી આરોગ્ય સુવિધા મળે તે દિશામાં આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પારદર્શક, નિર્ણયાત્મક, સંવેદનશીલ અને ભ્રષ્ટાચાર મુક્ત અને રાજ્યના તમામ વર્ગ ખેડૂત, ગરીબ, આદિવાસી, મહિલા સશક્તિકરણ, શૈક્ષણિક, યુવા રોજગાર વિગેરે માટે કામ કરતી સરકાર છે. રાજ્યની ગરીબ વર્ગની દીકરી ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે તેમની ફી સરકાર ભરશે તેવો નિર્ણય કરેલ છે. તેમજ ગરીબ લોકોને ઘરનું ઘર મળે તે માટે મોટી સંખ્યામાં આવાસો બનાવવાનો નિર્ણય કરેલ છે.  ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની બહેનોના આરોગ્યની ચિંતા કરી, બહેનોને ધૂમાડાના કારણે ગંભીર રોગની સમસ્યામાંી મુક્ત કરવા ઘેર ઘેર ગેસની લાઈનની યોજના લાવેલ.

આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેવાડાના માનવીની ચિતા સો પશુ પક્ષીની પણ ચિંતા કરે છે. આજે વિનામૂલ્યે ચકલીના માળા તા કૂંડાનું વિતરણ કરવામાં આવેલ. તેમજ માધાપર ખાતે બનનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગંદુ પાણી શુદ્ધ કરી ખેતી અને ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવામાં આવશે. તે જ રીતે વેસ્ટમાંી બેસ્ટ કેમ ાય તે ધ્યાનમાં રાખી, ગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ પ્લાન્ટમાં રેસ્ટોરન્ટનો એઠવાડ, ભીનો તેમજ શાકભાજીનો કચરો, છાણ વિ.માંી ૩૦૦ યુનિટ વીજળી તા ખાતર મળશે. આ ઉપરાંત ગરીબ વર્ગના લોકોને આવાસ મળે તે માટે ભાજપના શાસનમાં ૧૭૦૦૦ જેટલા આવાસો બનાવી, ફાળવી આપવામાં આવેલ છે. છેલ્લા ૧ વર્ષમાં ૬૦૦૦ જેટલા આવાસો ફાળવેલ છે અને હજુ વધુ આવાસોની કામગારી ચાલુ છે. ચાલુ વર્ષમાં એક પણ ડેમમાં પાણી ન હોવા છતાં ૫૦૦ કિમી દૂરી નર્મદાનું પાણી લાવી, દૈનિક વિતરણ કરવામાં આવે છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ યોજાયેલ ઝોનવાઈઝ વોર્ડ સ્વચ્છતા હરિફાઈમાં ઈસ્ટ ઝોનમાં પ્રમ ક્રમે આવેલ વોર્ડનં.૧૮ના વિકાસ કામો માટે શ્રી મોહનભાઈ કુંડારિયા અને ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે સેનિટેશન કમિટીના ચેરમેન, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને રૂ.૧ કરોડનો ચેક, તે જ રીતે દ્વિતીય ક્રમે આવેલ વોર્ડનં.૧૫ના વિકાસ કામો માટે ગોવિંદભાઈ પટેલ તેમજ ડો. જૈમન ઉપાધ્યાયના વરદ હસ્તે સેનિટેશન કમિટીના ચેરમેન, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને રૂ.૫૦ લાખનો ચેક તેમજ ત્રીજા ક્રમે આવેલ વોર્ડ નં.૫ના વિકાસ કામો માટે ભાનુબેન બાબરીયા કમલેશભાઈ મીરાણી ,નીતિનભાઈ ભારદ્વાજ અને ડો. દર્શીતાબેન શાહના વરદ હસ્તે સેનિટેશન કમિટીના ચેરમેન, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને રૂ.૨૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, કુદરત આપણને જે વસ્તુ આપે છે તે વસ્તુ બીજા સ્વરૂપે કુદરતને પરત આપવા રાજકોટ મહાનગરપાલિકા કામ કરી રહી છે, બાયોમિેનેશન ગેસ પ્લાન્ટના નિર્માણમાં રાજકોટ મહાનગરપાલિકા રાજ્યભરમાં સૌ પ્રમ છે.  આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયા ડ્રેનેજ કમિટીના ચેરમેન બાબુભાઈ આહીર તા સેનિટેશન કમિટીના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી, સ્વાગત કરેલ, કાર્યક્રમના અંતે બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ આભારવિધિ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.