Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક જીત મેળવતા રાજકોટ ગુરૂકુળે સહર્ષ અભિનંદન આપ્યા છે.

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં સમજદાર અને બુઘ્ધિશાળી લોકોએ ભાજપ પાર્ટી ઉપર વિશ્વાસ મુકવો છે.નરેન્દ્રભાઇ મોદી પર જનતાએ રાખેલા વિશ્વાસ બદલ તેઓ વિશ્વમાં ભારતનું નામ અને કામ રોશન કરે તેવી ભગવાન સ્વામીનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી છે.

વડાપ્રધાન પાસે ભારતને નવી દિશા આપવા જબરદસ્ત ઉત્સાહની સાથે દિલ અને દિમાગ છે તેઓ પર સંનો-મહંતોની કૃપા અને શુભાશિષપણ છે.સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ અને તેની દેશ-વિદેશમાં કાર્યરત ૩૬ શાખાઓના તમામ સંત-હરિભકત ગણે વડાપ્રધાનને અંતરના શુભાશિષ પ્રદાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.